કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 10 જૂલાઈથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે, આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક વિકાસના કાર્યોનું લાકાર્પણ કરશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવશે ફરી ગુજરાત
અમિત શાહ કરશે અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ
પરિવારજનો સાથે કરશે જગન્નાથ મંદિરમાં દર્શન
UPDATED
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન શું કાર્યક્રમ રહેશે તે જાહેર કરવામાં આવ્યો છે. અમિત શાહના ગુજરાતમાં આગમનથી લઈને દિલ્હી પરત ફરવા સુધીનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
10 જૂલાઈએ અમિત શાહનું એરપોર્ટ પર આગમન થશે
10 જૂલાઈએ રાત્રે 8.30 કલાકે કેન્દ્રિયમંત્રી અમિત શાહનું અમદાવાદમાં આગમન થશે જ્યાં એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી અને મેયર તેમનું સ્વાગત કરશે. 11 જૂલાઈએ અમિત શાહ 150 કરોડના ખર્ચે થનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, તેમજ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. સવારે 11 કલાકે અમિત શાહ ઓડા નિર્મિત સિવિક સેન્ટર ઉદ્ધાટન કરશે તેમજ ઓડા દ્વારા બનાવેલ લાઈબ્રેરીનું પણ ઉદ્ધાટન કરશે. તે બાદ બપોરે 12 વાગ્યે વેજલપુર કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરશે અને સાંજે 4 કલાકે સાણંદ સ્થિત APMC ના નવા ભવનનું પણ લોકાર્પણ કરશે.
સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરશે
કોરાન કેસના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે અને આ વખતે શહેરમાં જ્યારે રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે અમિત શાહ અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક પણ કરશે મહત્વનું છે કે રથયાત્રાને લઈ શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જડબેસલાક સુરક્ષા વચ્ચે અમિત શાહ સાંજે પરિવારજનો સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરશે.
અમિત શાહ સવારે મંગળા આરતીમાં ભાગ લેશે
12 જૂલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનાર છે ત્યારે વહેલી સવારે 4 વાગ્યે અમિત શાહ મંગળા આરતીમાં ભાગ પણ લેશે જે બાદ ભગવાન જગન્નાથના દર્શન કરી ઘરે પરત ફરશે અને બપોરે 12.30 કલાકે કલોલના નાદરીપુર ગામે એક કાર્યક્રમમાં હાજરી આપશે.
13 જૂલાઈએ અમિત શાહ દિલ્હી જવા રવાના થશે.
અમિત શાહ ગાંધીનગર ખાતે એક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી બપોરે 1 વાગ્યે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લેશે જ્યાં તેઓ નાર્કોટિક ડ્રગ્સ અને સાઈકોટ્રોપિત સેન્ટરનું લોકાર્પણ કરશે. સાંજે 4.00 કલાકે અમિત શાહ રાજભવન ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ કોરોના વોરિયર્સ માટે સેવા યજ્ઞના કાર્યક્રમમાં હાજરી આપશે. અને તે જ દિવસે સાંજે 5.30 કલાકે શારદામણી કોમ્યુનિટી હોલનું ઉદ્ધાટન કરશે. આમ 11 અને 12 જૂલાઈએ સતત વ્યસ્ત રહશે અને બાદમાં 13 જૂલાઈએ સવારે 10.00 કલાકે અમિત શાહ દિલ્હી જવા રવાના થશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. થોડા દિવસ અગાઉ પણ અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા હતા જેમાં ત્રણ ઓવરબ્રિજનું લાકાર્પણ અને અનેક વિકાસના કામોને પ્રજા માટે ખુલ્લા મુક્યા હતા ત્યારે તેઓ ફરી ત્રણ દિવસ માટે ગુજરાત આવનાર છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવશે ફરી ગુજરાત
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 10 જૂલાઈથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે, આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક વિકાસના કાર્યોનું લાકાર્પણ કરશે મહત્વનું છે કે 12 જૂલાઈએ અમદાવાદમાં રથયાત્રા યોજાનાર છે ત્યારે 11 જૂલાઈએ સાંજે અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરશે તે પછી વહેલી સવારે રથયાત્રા પહેલા મંદિરમાં મંગળા આરતી પણ કરશે.
અમિત શાહ કરશે અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ત્રણ દિવસનો પ્રવાસ એટલા માટે મહત્વનો બની રહેશે કેમ કે ગુજરાતમાં અનેક વિસકાના કાર્યોનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થનાર છે, 11 જૂલાઈએ બોપલ અને વેજલપુરમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. તે સાથે સાબરમતી વિસ્તારમાં નવા વાડજ ખાતે બનેલા પંપીગ સ્ટેશન પણ ખુલ્લો મુકશે. અમિત શાહ ગુજરાતના સાણંદ APMCમાં બનેલા નવ નિર્મિત ભવનનું પણ લોકાર્પણ કરશે. મહત્વનું છે કે સાણંદમાં બાવળા ખાતે 27 કરોડના ખર્ચે થયેલા વિકાસ કામોનું તેમજ 17 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરશે.
પરિવારજનો સાથે કરશે જગન્નાથ મંદિરમાં દર્શન
ઉલ્લેખનિય છે કે રથયાત્રાના દિવસે અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિવારજનો સાથે મંગળા આરતીમાં ભાગ લેશે અને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શેન કરશે.