દેશમાં આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ પ્રસંગે ભારતના ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસના આ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવતા વીરોને વંદન કર્યા હતા અને લખ્યું હતુ કે...
તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી છે
સ્વદેશી વસ્તુઓ પર વધારે ભાર મુકવા આગ્રહ કર્યો
સ્વતંત્રતા સેનાનીઓના ભારતનું સપનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરુ કરી રહ્યા છે
તેમણે પોતાના ટ્વીટર પર શુભકામના સંદેશમાં લખ્યું હતુ કે સ્વતંત્રતા દિવસના આ પ્રસંગે તેઓ એ તમામ સ્વતંત્રતા સેનાનીઓના ચરણમાં કોટિ કોટી વંદન સમર્પિત કરે છે. જેમણે પોતાના પરાક્રમ અને બલિદાનથી દેશને આઝાદી અપાવી છે. આ સાથે તેણે વીરોને યાદ કર્યા હતા. જેમણે આઝાદી બાદ દેશની એકતા, અખંડિતા અને સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધુ હતુ.
‘स्वतंत्रता दिवस’ के अवसर पर मैं उन सभी महान सेनानियों के चरणों में कोटि-कोटि वंदन करता हूँ जिन्होंने अपने पराक्रम और बलिदान से देश को आजादी दिलाई और साथ ही उन सभी वीरों को भी नमन करता हूँ जिन्होंने आज़ादी के बाद देश की एकता, अखंडता और सुरक्षा के लिए अपना सर्वस्व अर्पण किया। pic.twitter.com/f6n3IkRU9W
બીજા ટ્વીટમાં ગૃહમંત્રીએ લખ્યું હતું કે દેશના સ્વતંત્રતા સેનાનીઓએ આઝાદી બાદ જે ભારતનું સપનું જોયું હતુ. તેને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરુ કરી રહ્યા છે. તેમણે વંચિત વર્ગની મૂળભૂત સુવિધાઓનું ધ્યાન રાખ્યુ હતુ. ત્યારે ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે.
आज हमें बहुत गर्व है कि जिस स्वतंत्र, सबल व समर्थ भारत का स्वप्न हमारे स्वतंत्रता सेनानियों ने देखा था उसको प्रधानमंत्री @narendramodi जी चरितार्थ कर रहें हैं।
एक ओर गरीब व वंचित वर्ग को घर, बिजली, स्वास्थ्य बीमा जैसी सुविधाएँ दी तो वहीं दूसरी ओर भारत को एक मजबूत राष्ट्र बनाया।
ગૃહમંત્રી અમિતશાહે ભારતવાસીઓને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આત્મનિર્ભર ભારતના અભિયાનને પુરુ કરવા માટે અપીલ કરી છે અને સ્વદેશી વસ્તુઓ પર વધારે ભાર મુકવા આગ્રહ કરતા તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી છે.