કાલોલમાં અમિત શાહે કર્યું 25.32 કરોડના કામોનું ઇ-લોકાર્પણ
અમિત શાહે કહ્યું નારદીપુર મારા માટે ખુબ મહત્વનું છે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલના નારદીપુર ખાતે લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહે નારદીપુર ગામે તળાવના નવીનીકરણનું ખાત મુહૂર્ત કરતા કહ્યું કે નારદીપુર મારા માટે મહત્વનું છે. તે સાથે અમિત શાહ ગાંધીનગર ખાતે25 કરોડથી વધુના વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારદીપુર ગામ ખાતે ₹25 કરોડ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુ.
હું વિસ્તારની જનતાને ખાતરી આપું છું કે મોદીજી અને રૂપાણીજીના નેતૃત્વમાં આપણે ગાંધીનગરને દેશની સૌથી વિકસિત લોકસભાઓમાંની એક બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છીએ. pic.twitter.com/Ew9Y7VFvPp
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં કરોડોના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નારદીપુર મારા માટે ખૂબ મહત્વનું છે કે, નારદીપુર ગાંધીનગર જિલ્લાનું મોટું ગામ છે. અમિત શાહે કહ્યું કે મારા કોલેજ કાળ દરમિયાન નારદીપુર આવવાનું થયું હતું.નારદીરપુરમાં એક એક વિકાસના કામો કરવામાં આવશે. દરેક ઘરમાં ગેસ પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું હોવાનું જણાવ્યું હતું. અમિત શાહે વધુમાં જણાવ્યું, કે દરેક ગામના વિકાસ અંગેનું આયોજન સરકારે કરેલું છે. ગાંધીનગરમાં કાલોક સ્થિત તળાવું નવીનિકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમિત શાહે 25.32 કરોડના વિકાસના કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું.
કોરોનાથી એકપણ મૃત્યુના થાય તેવો સંકલ્પ
અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહના હસ્તે ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત હાથ ધરાનાર છે. અમિત શાહે ગાંધીનગરના કાલોલમાં વિકાસ કર્યોનું લોકાર્પણ પ્રસંગે કોરોના વિશે વાત કરતા કહ્યું હતું કે આભ ફાટ્યું હોય ત્યારે થિંગડા મારવાથી શું થાય? દેશ અને દુનિયાએ કોરોના જોયો છે. ગુજરાતે પણ જોયું છે ત્યારે કોરોનાથી એક પણ મુત્યું ના થાય તેવો સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યું હતું અને દરેકને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.
જગન્નાથજીની રથયાત્રાના પાવન પ્રસંગે હું ઘણા વર્ષોથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લઈ રહ્યો છું અને દર વખતે અહીં એક અલગ ઉર્જાની પ્રાપ્તિ થાય છે.
મને આજે પણ મહાપ્રભુની આરાધના કરવાનુ સૌભાગ્ય મળ્યું છે. મહાપ્રભુ જગન્નાથ હંમેશાં દરેક ઉપર તેમની કૃપા અને આશીર્વાદ વરસાવે. pic.twitter.com/oXuV3lU3Dz
મહત્વનું છે કે અમિત શાહે વહેલી સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી દર વર્ષની જેમ આ વખતે પણ નિયમિત રીતે અમિત શાહ રથયાત્રામાં જોડાઈ પરંપરા જાળવી હતી. આરતી બાદ અમિત શાહે જણાવ્યું હતું કે "જગન્નાથજીની રથયાત્રાના પાવન પ્રસંગે હું ઘણા વર્ષોથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લઈ રહ્યો છું અને દર વખતે અહીં એક અલગ ઉર્જાની પ્રાપ્તિ થાય છે." તેમજ વધુ કહ્યું કે "મને આજે પણ મહાપ્રભુની આરાધના કરવાનુ સૌભાગ્ય મળ્યું છે. મહાપ્રભુ જગન્નાથ હંમેશાં દરેક ઉપર તેમની કૃપા અને આશીર્વાદ વરસાવે"