નવી દિલ્હીઃ ગૃહમંત્રાલયે સંસદમાં ચોંકાવનારો રિપોર્ટ જમા કરાવ્યો છે. તેમને કહ્યું છે કે ગતવર્ષની સરખામણીએ આ વર્ષે પાકિસ્તાનની મદદથી જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતીઓમાં વધારો થયો છે.
સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર 2 ડિસેમ્બર સુધી 587 આતંક હુમલા થયા છે. જ્યારે ગત વર્ષે આ હુમલાની સંખ્યા 329 હતી. 2017માં 342 2016માં 322 વખત આતંકી હુમલા કરાયા હતા.
આ વર્ષના આતંકી હુમલામાં 86 જવાનો શહીદ થયા છે. જ્યારે ગત વર્ષે આ આંકડો 74નો હતો. 2 ડિસેમ્બર 2018 સુધીમાં 238 આતંકીઓને માર્યા છે. અને 37 સામાન્ય લોકોના મોત થયા છે.
આ ઉપરાંત સ્થાનિકોની મદદથી 128 લોકો ઘૂષણખોરી કરવામાં સફળ રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીરે સંસદમાં રિપોર્ટ લેખિતમાં જવાબ રજૂ કર્યો હતો.