જેતલરસની કિશોરી હત્યા કેસમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યાં છે. કેસમાં જિલ્લા અધિક્ષક દ્વારા સુપરવિઝન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જેતલસરમાં હત્યાના મામલે
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ
કેસની તપાસના અપાયા આદેશ
રાજકોટના જેતલરસની કિશોરીની હત્યાનો કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે ત્યારે હવે આખરે સરકારે પણ હરકતમાં આવવું પડ્યું છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ કેસમાં તપાસના આદેશ આપ્યાં છે. કેસમાં જિલ્લા અધિક્ષક દ્વારા સુપરવિઝન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમ જ પીડિતાના પરિવારને તાત્કાલિક સહાય ચૂકવવાનો આદેશ પણ આપી દેવાયો છે.
રાજકોટ જિલ્લા રેન્જ IGએ લીધી મુલાકાત
રાજકોટ જિલ્લા ના રેન્જ IG સંદીપ સિંહ એ આજે જેતલસર ગામની મુલાકાત લીધી હતી, જેતલસર ગામ થયેલ યુવતીની નિર્મમ હત્યાના પગલે આજે રેન્જ IG ખુદ જેતલસર ગામ આવી પહોંચ્યા હતા. મૃતક યુવતીના પરિવારજનોને સાંત્વના આપી હતી સાથે સાથે રેન્જ IG એ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.
આ મર્ડરની ઘટના આખરે કેવી રીતે બની હતી અને આરોપીએ કેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો તેની સમગ્ર માહિતી લીધી હતી. રેન્જ IG સંદીપ સિંહે આ ઘટનાની તપાસ રાજકોટ ગ્રામ્ય LCBને સોંપી હતી અને તપાસની ખાસ દેખરેખ માટે રાજકોટ SP અને જેતપુર ASP કરશે.
જેતપુરના જેતલસર ગામમાં હત્યા મામલે હવે તેના પિતાએ VTV સાથે વાતચીત કરી હતી. પિતાની માગ છે કે, આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે. ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અને ગ્રામજનો પણ ઈચ્છી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા મળવી જોઈએ.
કોણ છે હત્યારો જયેશ સરવૈયા?
સમગ્ર ઘટના અંગ જો વાત કરવામાં આવે તો, 16 વર્ષની દીકરીનો હત્યારો જયેશ સરવૈયાએ સૃષ્ટિના માતાનો પિતારાઈ ભાઈ થાય છે. અને તે જેતલસરમાં રહીને કડિયા કામ કરતો હતો. માતાનો પિતરાઈ ભાઈ હોવાથી તે અવારનવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તેને સૃષ્ટિ સાથે એક તરફી પ્રેમ થયો હતો.
એક તરફી પ્રેમમાં જયેશ સરવૈયા વારંવાર સૃષ્ટિનો પીછો પણ કરતો હતો. અને પરેશાન પણ કરતો હતો. આ અંગે સૃષ્ટિના માતા-પિતાએ જયેશના પરિવારને પણ ફરિયાદ કરીહતી. જે બાદ જયેશને તેના પિતાએ માર મારીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આ બાબતના ગુસ્સામાં જયેશે હત્યા તેના ઘરમાં ઘૂસીને કરી નાખી હતી. આ દરમિયાન દીકરીના ભાઈને પણ જયેશે છરીના ઘા મારી ઘાયલ કર્યો હતો. દીકરીની હત્યામાં જયેશનો નાનો ભાઈ પણ હતો. જયેશના નાના ભાઈએ 6 ઘા છરીના માર્યા હતા. પરંતુ પોતાનો જીવ બચાવવા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.