ખેડાઃ 30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આણંદના મોગર ખાતે મુલાકાત લેવાના છે. અમુલ ડેરીના ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારંભ અને જાહેરસભાની તૈયારીઓ અને સુરક્ષાની સમિક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત કરી હતી. સભાસ્થળ અને ચોકલેટ પ્લાન્ટમાં કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ સુરક્ષા બંદોબસ્ત અંગે અધિકારીઓએ સાથે બેઠક કરી હતી.
આજે સાંજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આણંદના મોગર ખાતે આવેલ અમુલના ચોકલેટ પ્લાન્ટની મુલાકાત કરી હતી. સાથે બાજુમાં જ બનાવેલ સભાસ્થળનું નિરીક્ષણ કરી બંદોબસ્ત અને સુરક્ષાની અધિકારીઓએ સાથે બેઠક કરી હતી.
આ કાર્યક્રમ અંગેની બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને રાજ્ય સભાના સાંસદ લાલસિંહ વડોડિયાએ અધિકારીઓએ અમુલના ચેરમેન રમસિંહ પરમાર સાથે કાર્યક્રમની રૂપરેખા અને બંદોબસ્તની સમિક્ષા કરી હતી.