વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ વિભાગ તરત એક્શન મોડમાં આવી ગયું હતું. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા પોલીસ કમિશ્નર ડીજીપી વિકાસ સહાય સાથે બેઠક યોજી હતી. ત્યારે બેઠકમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિ રહ્યા હતા.
વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારાનો મામલો
પથ્થરમારા બાદ 14થી વઘુ લોકોની કરાઈ અટકાયત
ફતેપુરા અને આસપાસના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ
DGP ઓફિસથી કરાઈ રહ્યું છે ચેકિંગ
વડોદરામાં શોભાયાત્રામાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે પથ્થરમારા બાદ 14 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ ફતેપુરા તેમજ આસપાસનાં વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ DGP ઓફિસથી સતત સમગ્ર ઘટના મામલે ચેકીગ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં બનેલી ઘટનાને લઈને ગૃહવિભાગ દ્વારા કડક પગલા લેવાય તેવી સંભાવના સેવાઈ રહી છે.
બે ટુકડી પહોંચી ગઈ, એક ટુકડી હાલ રસ્તામાં છે
વડોદરાના વિવિધ વિસ્તારોમાં પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ તેમજ આણંદથી પોલીસની વધુ ટુકડી બોલાવવામાં આવી હતી. વડોદરામાં વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી હતી. ત્યારે 3 એસઆરપીની ટુકડી મોકલવામાં આવી છે. ત્યારે ડીજી ઓફિસથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. હાલ વડોદરામાં પથ્થરમારા બાદ હાલ સ્થિતિ કાબુમાં છે.
CM ભૂપેન્દ્ર પટેલે ઘટનાની લીધી માહિતી
વડોદરામાં ભગવાન રામી શોભાયાત્રામાં ફરી પથ્થરમારાની ઘટના બાદ સુરતમાં હર્ષ સંઘવીએ રામનવમીનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ ઘટનાની માહિતી મેળવી હતી. તેમજ ગાંધીનગર કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતે CCTV નેટવર્કના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર ખાતે DGP વિકાસ સહાય સહિતના અધિકારીઓની બેઠક મળી હતી.
કારેલીબાગ પોલીસ સ્ટેશને લોકો એકઠા થયા
વડોદરામાં રામનવમીન શોભાયાત્રામાં પથ્થરમાબાદ તંગદિલી ઉભી થવા પામી હતી. ત્યારે પથ્થરમારા બાદ હિંદુ સંગઠનોનાં કાર્યકરો કારેલીબાગ પોલીસ મથકે એકઠા થયા હતા. જેમાં VHP, બજરંગદળના કાર્યકરો, સ્થાનિકોની ભીડ એકઠી થઈ હતી.
ગૃહમંત્રીની અસામાજીક તત્વોને ચેતવણી
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે ઘટનાને હર્ષ સંઘવીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.અને પથ્થરમારો કરનારને ચેતવણી આપી હતી કે, રામનવમીની યાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાંખ્યા છે તે ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે.