સુરત સેશન્સ કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસ મામલે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસી ફટકારી છે. ત્યારે આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી પોતાની પ્રતિક્રિયા આપી હતી.
સુરત સેશન્સ કોર્ટે આજે ગ્રીષ્મા હત્યા કેસના મામલે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધન કર્યું હતું.જ્યાં તેઓએ પ્રથમ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને કહ્યું હતું કે, આજે મે ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂર્ણ થયું છે. કાલે હું મારા તમામ કાર્યક્રમો રદ્દ કરીને ગ્રીષ્માના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવવા જવાનું છું. કોર્ટે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂપેન્દ્ર સરકાર જે કહે છે તે વચન પૂર્ણ કરે છે. માતા-બહેન,દિકરીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રીષ્મા હત્યા કેસમાં લોકોની અપેક્ષા હતી કે, પીડિતાના પરિવારને ન્યાય મળે અને આરોપીને ઝડપથી સજા મળે, તેમણે કહ્યું કે, પોલીસે પણ આ મામલે પોતાની તાપાસ ઝડપથી પૂર્ણ કરી છે. અને પીડિતા અને તેના પિરવારજનો ન્યાય અપાવ્યો છે. હર્ષસંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે વ્હાલી ગ્રીષ્માના પરિવારને આપેલો વાયદો પૂર્ણ થતાં હું સંતોષ અનુભવું છું. અપરાધિયોં સામેંની અમારી લડાઈ અવિરત છે. તેમણે જણાવ્યું હતું કે, મે ગ્રીષ્માના પરિવારજનો જણાવ્યું હતું કે, તમારા ઘરમાં શોક પુરો થશે તે પહેલા ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા અપાવીશ.
આજે વ્હાલી ગ્રીષ્માને શ્રદ્ધાંજલી પાઠવું છું એમને પરિવારને આપેલો વાયદો પૂર્ણ કરીને સંતોષ અનુભવું છું. ગ્રીષ્મા ના હત્યારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.અપરાધિયોં સામેંની અમારી લડાઈ અવિરત છે.
રાજ્યના નાગરિકોને સુરક્ષિત કરવા સરકારની કટિબધ્ધતા- હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે, ગ્રીષ્મા હત્યા કેસ મામલે 70 દિવસમાં જ આરોપીને ફાંસીની સજા મળી છે. આરોપીઓને સજા અપાવવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. અનેક કેસમાં ગણતરીના દિવસોમાં આરોપીને સજા અપાવી છે. રાજ્યના નાગરિકોને સુરક્ષિત કરવા રાજ્ય સરકારની કટિબધ્ધ છે. ગુજરાતમાં અપરાધ કરનારનું કોઇ સ્થાન નથી. કોર્ટે આ ગુનાને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો છે. આવા આરોપીઓને સરકાર ક્યારે બક્ષવા માગતી નથી. આજના ચુકાદાનો ભય આરોપીઓના મનમાં રહેશે.
આવેશમાં આવી ભૂલથી પણ ગુનો કર્યો તો છુટવાનો કોઇ ચાન્સ નહી રહે- હર્ષ સંઘવી
આવેશમાં આવી ભૂલથી પણ ગુનો કર્યો તો છુટવાનો કોઇ ચાન્સ નહી રહે. આ ચુકાદા બાદ આરોપીઓ ગુના કરતા ફફડશે. કેસ હાઇકોર્ટમાં જશે તો તેનો પણ ઝડપી ઉકેલ લાવીશું. અને તેના હાઇકોર્ટમાં પણ સ્પેશિયલ વકીલ રોકવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રીષ્મા હત્યા કેસમાં ગૃહ વિભાગે DYSP કક્ષાના અધિકારી સહિત 7 અધિકારીઓની સીટ બનાવી હતી. ઓરલ, સાયન્ટિફિક, ઇલેક્ટ્રોનિક પુરાવા એકઠા કર્યા હતાં. તેમજ 2500 પાનાંની ચાર્જશીટ 5 દિવસમાં ફાઇલ કરી હતી. 190 સાક્ષીઓની જુબાની લીધી હતી. 28 ફેબ્રુઆરી ગુનાની ટ્રાયલ શરૂ થઈ હતી. 105 સાક્ષીઓની રજૂ કર્યા હતા