કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્લીથી જ બેઠા બેઠા ગાંધી નગરના વિકસ કામોનું ઇ લોકાર્પણ કર્યું હતું. જે બાબતણી તેમણે ટ્વિટર એકાઉન્ટ પરથી માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે એક વિડીયો સંબોધન પણ કર્યું હતું અને કહ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં ગુજરાતે સારી પ્રગતિ કરી છે પરંતુ હજુ આ લડાઈ પૂરી થઈ નથી.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં 15 કરોડના વિકાસ કાર્યોનું થયું ઇ લોકાર્પણ
ગૃહમંત્રી અમિત શાહે દિલ્લી થી જ ઇ લોકાર્પણ દ્વારા જનતાને કર્યા સમર્પિત
અન્ય 119.63 કરોડ રૂપિયાની કિમતની યોજનાઓનું કર્યું ઇ ખાતમુહૂર્ત
કોરોના મહામારી વચ્ચે જનતાના કામો રોકાય નહીં તે માટે દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્લી થી જ તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં આશરે 15 કરોડ રૂપિયા જેટલી કિમતના વિકાસ કામોનું ઉદ્ઘાટન કર્યું હતું. જેના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ઓફળ આપણી પ્રયોરિટી બહલે કોવિડ હોય પરંતુ સાથે જ વિકાસના કામોની ગતિ પણ નિરંતર રહેવી જ જોઈએ.
કોરોના મહામારી દરમ્યાન જરૂરીયાતમંદ પરિવારો સુધી રાશન કીટ, સેનેટાઇઝર, માસ્ક તેમજ દવાઓ પહોંચાડી માનવતાની સુવાસ ફેલાવનાર ભાજપાના સહુ કાર્યકર્તાઓનો આભાર માનું છું.
મને પૂર્ણ વિશ્વાસ છે કે, માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા દેશની આદર્શ લોકસભા બનશે. pic.twitter.com/Ez4bRZFM4E
ગુજરાતમાં ગાંધીનગરમાં આજે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 134 કરોડ રૂપિયાની કિમતના કામોનું ઇ લોકાર્પણ યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગાંધીનગરના મેયર રીટા બહેન અને ગાંધીનગરના બે ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. આ સમયે અમિત શાહે કહયુ હતું વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકાસ સતત ચાલુ છે અને કોવિડ સાથેની લડાઈને દેશ સફળતાથી લડી રહ્યો છે.
આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર શહેર અને જીલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ રૂ. 15.01 કરોડના કામોનું ઈ-લોકાર્પણ તથા 119.63 કરોડના કામોનું ઈ-ખાતમૂહૂર્ત સંપન્ન થયું.
આ લોકર્પણ પ્રસંગે 40 થી વધુ કામોનું લોકાર્પણ કરાયું હતું જેમાં પેથાપુર નારદીપુર રોડને 10 મીટર પહોળો કરવાનું કામ શરૂ થયું છે જેનો ખર્ચ 16 કરોડ થશે, ગાંધીનગરના બ્યુટીફીકેશન માટે ત્રણ નવા બગીચાઓનું લોકાર્પણ પણ કર્યું હતુ, સાથે જ લોકમાંગણીને ધ્યાનમાં રાખીને સારદા ચંદ્રાલા રોડ શરૂ કરાયો છે અને ગાંધીનગર મનપાને સ્માર્ટ સિટી યોજના હેઠળ 5 કરોડ 38 લાખના ખર્ચે પેપરલેસ કરવાનું આયોજન છે. આ સિવાય પણ અમુક સેક્ટરોના રિંગરોડને 4 લેનમાં કન્વર્ટ કરવાની યોજનાઓનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
ગાંધીનગરમાં મોટી આદરજ ગામમાં કન્યા શાળામાં 11 નવા ઓરડા અને અન્ય કુલ 119 કરોડની અન્ય વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું. .
આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે ભાજપ નો કાર્યકર્તા આ કોવિડ સંકટ કાળમાં પગવાળીને બેઠો નાથી અને તમામ જરૂરિયાતમંદની સેનેટાઈજર, માસ્ક, અનાજ વગેરે પહોંચાડીને મદદ કરી છે તેથી તેઓને અભિનંદન આપે છે.
गांधीनगर जिला और गांधीनगर शहर की विभिन्न विकास परियोजनाओं का शिलान्यास व लोकार्पण। ગાંધીનગર શહેર અને જીલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ વિકાસલક્ષી કામોનું ઇ-ખાતમુહૂર્ત અને અ-લોકાર્પણ. https://t.co/SFMBOAKrc7
જો કે તેમણે એમ પણ કહયુ હતું કે હાલમાં કોઈ પણ કાર્યક્રમ હોય બને તેટલા તેને ઇ લોકાર્પણ અને વિડીયો કોન્ફરન્સથી જ નિભાવવા તેમણે વિનંતી કરી હતી. સોશિયલ ડિસ્ટન્સનું પણ તેમણે મહત્વ જણાવ્યું હતું, ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી પણ આજે આજ પ્રકારનું સંબોધન દેશવાસીઓને કર્યું હતું.
પરંતુ હાલમાં જ નિમાયેલા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના ઘણા વિભાગોના પ્રવાસે હતા, જેમાં તેમના મેળવડાઓમાં અસંખ્ય પબ્લિક અને કાર્યકર્તાઓના જમાવડાઓ લાગતાં હતા, જેને લઈને ભાજપના ઘણા ધારાસભ્યો કોરોનામાં સપડાયા હતા અને છેલ્લે કાલે પ્રદેશ પ્રમુખ પોતે પણ કોરોના ગ્રસ્ત બન્યા હતા. જેને લઈને વિપક્ષો દ્વારા તેમને સુપર સ્પ્રેડર જેવા વિશેષણોથી પણ નવાજવામાં આવ્યા હતા.