કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણનું પર્વ પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે
14 જાન્યુઆરીએ સવારમાં વેજલપુરમાં કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે
15 જાન્યુઆરીએ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કાર્યક્રમમાં હાજરી આપશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે મોડી સાંજે ગૃહમંત્રી અમદાવાદ ખાતે આવી પહોંચશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણનું પર્વ પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે તેઓ પરિવાર સાથે જગન્નાથ મંદિરે જઈ દર્શન કરશે.
પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 અને 15 જાન્યુઆરીના બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે 14 જાન્યુઆરીના રોજ વહેલી સવારે તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરશે. ત્યાર બાદ તેઓ 14 જાન્યુઆરીની સવારે વેજલપુરમાં કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે. બપોર બાદ ગૃહમંત્રી વંદે માતરમ ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવવાના છે અને સાંજે તેઓ પોતાના સંસદીય મત વિસ્તાર કલોલ ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણની ધામધૂમ પૂર્વક ઉજવણી કરશે. ત્યારે અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર પરિવાર સાથે અમદાવાદમાં ઉજવતા રહ્યા છે.
બીજા દિવસે ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે, કચ્છ BSF ના જવાનો સાથે મુલાકાત
બે દિવસીય ગુજરાત પ્રવાસમાં ગૃહમંત્રી અમદાવાદમાં પરિવાર તેમજ કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી ચિક્કીની મઝા માણતા હોય છે. બીજા દિવસે 15 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના મોટી આદરજ ગામ ખાતે ગામના વિકાસ અને પર્યાવરણની જાગૃતિ અંગે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે ઉત્તરાયણના બીજા દિવસે કચ્છ બોર્ડર પર સિક્યુરીટી ફોર્સના જવાનોની મુલાકાતનું પણ આયોજન થઈ રહ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.