ભારત સરકારના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતશાહ આગામી 30 જૂનના જમ્મુ - કશ્મીરના પ્રવાસે જશે. ગૃહમંત્રી બન્યા પછી આ તેમનો પહેલો પ્રવાસ હશે, તેઓ કશ્મીર ઘાટીમાં જશે. આ પ્રવાસ દરમ્યાન અમીત શાહ ઘાટીમાં સુરક્ષા સંબંધી વ્યવસ્થાઓની સમીક્ષા કરશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2019
આ ઉપરાંત તેઓ પ્રવાસ દરમ્યાન પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના પણ દર્શન કરશે. ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ગૃહમંત્રીના પ્રવાસ અંગે જાણકારી આપી હતી. મહત્વના સૂત્રો મુજબ અમિત શાહ 30 જૂનના શ્રીનગરમાં પહોચશે.
દેશના ગૃહમંત્રી આ મુલાકાત દરમિયાન સેના, જમ્મુ-કશ્મીર પોલીસ, CRFP અને સીમા સુરક્ષા બળના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. આ ઉચ્ચસ્તરી બેઠકમાં શાહ જમ્મુ-કશ્મીરમાં અધિકારીઓ સાથે સીમા, LOC અને આંતરીક સુરક્ષાની સમીક્ષા કરશે.
આ બેઠકમાં અને સેનાના ઉતરી કમાનના ઘણા અધિકારીઓ પણ હાજર રહશે. તેમજ અમિત શાહના બાબા અમરનાથના દર્શન બાદ અમરનાથ યાત્રાની શરૂઆત થશે.