કોરોના સંકટની વચ્ચે હવે ભારતીય અર્થવ્યવસ્થા ધીરે -ઘીરે સુધારો થઈ રહ્યો છે. દેશ દુનિયાની અનેક સંસ્થાનોએ ભારતીય અર્થવ્યવસ્થાનું કોરોના સંકટમાંથી બહાર આવીને પટરી પર પાછા ફરવાનો અનુમાન લગાવ્યું છે. હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આશા વ્યક્ત કરી છે કે ઓક્ટોબર -ડિસેમ્બર 2020 એટલે કે ચાલૂ નાણા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી દર સકારાત્મક રહેશે. શાહે એક કાર્યક્રમ બાદ કહ્યું કે પીએમ મોદી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મહેનત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નાણા વર્ષ 2020-21ના પહેલા અને બીજા ક્વાર્ટર દરમિયાન અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો છે.
મોદીએ કોરોનાના સમયનો ઉપયોગ સારી નીતિઓ બનાવવામાં કર્યો
અમિત શાહે જીડીપીની વૃદ્ધિને લઈ આશા વ્યક્ત કરી
બીજા ક્વાર્ટર દરમિયાન અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો છે.
મોદીએ કોરોનાના સમયનો ઉપયોગ સારી નીતિઓ બનાવવામાં કર્યો
ગૃહંત્રી શાહે કહ્યું કે વૈશ્વિક મહામારીના કારણે બનેલા આર્થિક સંકટને પહોંચી વળવા માટે તેમણે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે. સાથે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયનો ઉપયોગ સારી નીતિઓ બનાવવામાં કર્યો છે. આ દરમિયાન તેમણે કોરોના સંકટના અર્થવ્યવસ્થા પર લાંબા સમયમા પડનારા અસરનું વિશેષ ધ્યાન રાખ્યુ છે. આ રીતે પીએમ મોદીએ કૃષિ, વીજળી, ઓદ્યોગિક નીતિમાં સુધારા પર કામ કર્યુ છે. જેથી વિકાસની સ્પીડ યથાવત રહે.
અમિત શાહે જીડીપીની વૃદ્ધિને લઈ આશા વ્યક્ત કરી
અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ ગરીબોને મદદ માટે 20 લાખ કરોડ રુપિયાનું પ્રોત્સાહન પેકેજ આપ્યું છે. તાજા જીડીપી આંકડાને જોતા આપણે ફક્ત 6 ટકા પાછળ છીએ. તેમણે આશા વ્યક્ત કરી કે ઓક્ટોબર-ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં જીડીપીની વૃદ્ધિ સકારાત્મક થઈ જશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે નાણા વર્ષ 2020-21ની એપ્રિલ-જૂન 2020 ક્વાર્ટર દરમિયાન જીડીપીમાં 23.9 ટકા ઘટાડો નોંધાયો હતો. આ બાદ બીજી ક્વાર્ટરમાં એટલે કે જુલાઈ -સપ્ટેમ્બરમાં 2020 દરમિયાન આ ઘટાડો ઓછો થઈ 7.5 ટકા રહી ગઈ છે.