નવી દિલ્હીથી કટરાની વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેનને ગૃહમંત્રી અમિત શાહે આજે લીલી ઝંડી આપી છે. આ ટ્રેન શરૂ થતાં વૈષ્ણોદેવીની યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓને ફાયદો થશે. આ ટ્રેન 5 ઓક્ટોબરથી શરૂ થશે.
ગૃહમંત્રી અમિત શાહે વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
દિલ્હી-કટરા રૂટ પર 5 ઓક્ટોબરથી દોડશે વંદે ભારત ટ્રેન
12 કલાકની મુસાફરી 8 કલાકમાં કરી શકાશે
નવી દિલ્હીથી કટરા માટે એસી ચેર કોચનું ભાડું રૂ.1630 રહેશે
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને અમિત શાહનું સંબોધન
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ માટે મોટી ભેટ સાબિત થશે. સાથે જ રેલવે વિભાગને પણ શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું કે ગાંધીજીએ રેલવે મારફત ભારત ભ્રમણ કર્યું હતું. અને તેઓએ પણ રેલવેનો સહારો લીધો હતો.
Delhi: Union Home Minister Amit Shah and Union Railway Minister Piyush Goyal along with Union Ministers Dr Jitendra Singh and Dr Harsh Vardhan flag-off the Vande Bharat Express from New Delhi to Shri Mata Vaishno Devi Katra. pic.twitter.com/IfODd6Jljr
Union Home Min Amit Shah at the flag-off ceremony of Vande Bharat Express from Delhi to Katra: I'm proud that this 'Made in India' train is being flagged-off from here today. The railways is working towards achieving its targets keeping in mind principles of speed,scale&service pic.twitter.com/eN5AFcabka
દિલ્હીથી કટરાની વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેનને આજે ગૃહમંત્રી અમિત શાહની લીલી ઝંડી મળી છે. આ ટ્રેનના કારણે વૈષ્ણોદેવીની યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓને ફાયદો થશે. ટ્રેનની બુકિંગ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. આ ટ્રેન 5 ઓક્ટોબરથી શરૂ થશે. આજે ટ્રેનમાં અધિકારી અને ટ્રેન સ્ટાફ કટરા સુધી જશે.
Union Home Minister Amit Shah will flag off Vande Bharat Express’ from New Delhi to Maa Vaishno Devi, Katra (J&K), today. (file pic) pic.twitter.com/GH8YRMW9kR
હાઈ સ્પીડ ટ્રેન ચાલવાના કારણે દિલ્હી અને કટરા જનારા યાત્રીઓ 12 કલાકને બદલે 8 કલાકમાં પહોંચી જશે. આ બીજી વંદે ભારત ટ્રેન છે. પહેલી વંદે ભારત એક્સપ્રેસને પીએમ મોદીએ દિલ્હી -વારાણસી માર્ગ પર લીલી ઝંડી આપી હતી.
જાણી લો ટ્રેનનો સમય સાથેનો રૂટ
નવી દિલ્હીથી આ ટ્રેન સવારે 6 વાગે નીકળશે અને 8.10 મિનિટે અંબાલા પહોંચશે. 9.19 વાગે લુધિયાણા અને બપોરે 12.38 મિનિટે જમ્મૂ-તાવી પહોંચશે. 2 મિનિટ રોકાઈને 2 વાગે કટડા પહોંચાડશે. કટરાથી પાછા આવનારા યાત્રીઓનો લઈને ટ્રેન 3 વાગે રવાના થશે. 4.13 મિનિટે જમ્મૂ-તાવી અને 7.32 વાગે લુધિયાણા પહોંચશે. 8.48 મિનિટે અંબાલા પહોંચશે. દિલ્હીમાં રાતે 11 વાગે તે પરત ફરશે. 160 કિલોમીટર/કલાકની સ્પીડે શરૂ થનારી આ ટ્રેનમાં અત્યાધુનિક સુવિધાઓ પણ મળશે.
કેટલું છે વંદે ભારતનું ભાડું?
નવી દિલ્હીથી કટરા જવા માટે એસી ચેર કોચનું ભાડુ 1630 રૂપિયા છે તો એક્ઝિક્યૂટિવ કોચ માટે 3015 રૂપિયા ચૂકવવાના રહેશે. નવી દિલ્હીથી જમ્મૂ-તાવી માટે એસી ચેરનું ભાડું 1300 રુપિયા છે તો લુધિયાણા સુધી જવા માટે 905 રૂપિયા ભાડુ ચૂકવવાનું રહેશે. અંબાલા સુધીના આ ક્લાસનું ભાડું 175 રૂપિયાનું રહેશે. કટડાથી નવી દિલ્હીનું ભાડું એસી ચેરકોચમાં 1570 રૂપિયા છે તો અન્ય તરફ એક્ઝિક્યૂટિવ ચેરકોચમાં સફર કરવા માટે 2965 રૂપિયા ચૂકવવાના રહેશે. જમ્મૂ-તાવીથી નવી દિલ્હી માટે એસી કોચનું ભાડું 1465 રૂપિયા રહેશે. એક્ઝિક્યૂટિવ ક્લાસ માટે 2755 રૂપિયા આપવાના રહેશે.
ટ્રેનમાં હશે આ સુવિધાઓ
ટ્રેનમાં 2 ડ્રાઈવર કાર, 2 એક્ઝીક્યૂટિવ ચેર કોચ અને 12 ચેરકોચ સહિત કુલ 16 કોચ લગાવવામાં આવશે. નવી દિલ્હીથી કટડા જતા ટ્રેનનો નંબર 22439 અને કટડાથી દિલ્હી આવતા 22440 રહેશે.