છત્તીયસગઢમાં ભારતના વીર સપૂતો શહીદ થયા છે ત્યારે આજે અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બેઠક કરી હતી.
છત્તીસગઢમાં અમિત શાહે અધિયકરીઓ સાથે કરી બેઠક
આ લડાઈ રોકાશે, અંત સુધી લઈ જઈશું : અમિત શાહ
જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય : અમિત શાહ
દેશ તમારું બલિદાન યાદ રાખશે : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે જે જવાનો શહીદ થયા છે તેમને હું ભારત સરકાર તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું આ બલિદાન વ્યર્થ નહીં જાય. આ લડાઈને નિર્ણાયક મોડ પર પહોંચાડવા માટે તેમનું બલિદાન દેશ હંમેશા યાદ રાખશે.
લડાઈને અંત સુધી લઈ જઈશું : અમિત શાહ
આજે છત્તીસગઢના મુખ્યમંત્રી તથા બધી જ ફોર્સના ઓફિસરો સાથે મીટિંગ કરી જેમાં આ લડાઈની ગતિ કોઈ પણ રીતે ઓછું ન થાય તેવું અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે. હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આ લડાઈ રોકાશે નહીં, અમે લડાઈને અંત સુધી લઈ જઈશું. આ લડાઈમાં નક્સલવાદીઓ સામે અમારી વિજય નિશ્ચિત છે. અમિત શાહે કહ્યું કે વિકાસ માટે પણ ઘણા બધા કામ કરવામાં આવ્યા છે. આદિવાસીઓ વિસ્તારોમાં વિકાસના કામને તેજ કરવામાં આવી રહ્યા તથા હથિયારી ગ્રુપો સામેની લડાઈને તીવ્ર ગતિ સાથે આગળ વધારવા માટે કામ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને મક્કમતા સાથે લડી રહી છે.
દેશના પ્રધાનમંત્રીએ મોદીએ આ લડાઈને અંત સુધી લઈ જવા માટે ભારત સરકારની પ્રાથમિકતા નક્કી કરેલી છે. આ ઘટના બાદ આ લડાઈને વધારે તીવ્ર કરવામાં આવશે અને આ લડાઈને અમે વિજયમાં પરિવર્તિત કરીશું. શહીદ જવાનોના પરિજનોને કહેવા માંગુ છું કે તમારા ભાઈ, પતિએ જે દેશ માટે બલિદાન આપ્યું છે તે વ્યર્થ નહીં. આખો દેશ તમારા સાથે ઊભો છે. તેમણે જે ઉદ્દેશ માટે આ બલિદાન આપ્યું છે તે અમે જરૂર સિદ્ધ કરીશું.
બીજાપુરમાં ભારતના વીર સપૂતોનું બલિદાન
छत्तीसगढ़ में नक्सलियों का सामना करते वक्त शहीद हुए बहादुर सुरक्षाकर्मियों को जगदलपुर में श्रद्धांजलि अर्पित की।
देश आपके शोर्य और बलिदान को कभी भुला नहीं पाएगा। पूरा देश शोक संतप्त परिवारों के साथ खड़ा है।
બીજાપુર- સુકમામાં ભારતના વીર સપૂતોએ બલિદાન આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢ પહોંચ્યા જ્યાં તેમણે ભારતના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જગદલપુર બાદ અમિત શાહ ઘાયલ જવાનો સાથે મુલાકાત કરવાના છે તથા ઘટનાસ્થળ પર પણ પહોંચશે. ગૃહમંત્રી સમગ્ર ઘટના મામલે અધિકારીઓ સાથે મોટી બેઠક પણ કરશે.