ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે આજે પશ્ચિમ બંગાળમાં એક રેલીમાં કહ્યું હતું કે CAAનો કાયદો ભારતીય લઘુમતીઓની નાગરિકતાને કોઈ પણ અસર નહીં કરે.
ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું વચન
બંગાળના કૂચબિહારમાં આપ્યું નિવેદન
વેક્સિનેશન પછી નાગરિકતા આપવાનું શરૂ થશે: શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે આજે કહ્યું હતું કે "અમે કોવિડ -19 રસીકરણ સમાપ્ત થયા પછી નાગરિકતા સુધારા કાયદા CAA હેઠળ શરણાર્થીઓને નાગરિકત્વ આપવાનું શરૂ કરીશું. વિપક્ષ CAAપર લઘુમતીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે, તેનાથી ભારતીય લઘુમતીઓની નાગરિકતાને અસર થશે નહીં."
Winds of change blowing in Bengal. People want to get rid of TMC’s violence, corruption and extortion.
બંગાળમાં એક રેલીને સંબોધી રહ્યા હતા ગૃહપ્રધાન અમિત શાહ
મતુઆ સમુદાયનું પ્રભુત્વ ધરાવતા ઠાકુરનગરમાં એક રેલીમાં અમિત શાહે કહ્યું કે, અમે CAA લાવ્યા, પણ વચ્ચે કોરોના આવી ગયો, મમતા દીદી કહેવા લાગ્યા કે આ ખોટું વચન છે પરંતુ અમે જે પણ બોલીએ છીએ તે કરીએ છીએ. આ રસીકરણનું કામ પૂરું થતાં જ ભાજપ સરકાર તમામને નાગરિકતા આપવાનું કામ શરૂ કરી દેશે.
અમિત શાહે કહ્યું હતું કે હવે મમતા બેનર્જી CAA ના અમલીકરણનો વિરોધ કરવાની સ્થિતિમાં રહેશે નહીં કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ પછી તેઓ મુખ્યમંત્રી નહીં બને.ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે મોદી સરકારે 2018 માં વચન આપ્યું હતું કે અમે નવો નાગરિકતા કાયદો લાવીશું અને 2019 માં ભાજપ સરકાર સત્તામાં આવતાંની સાથે જ આ વચન પૂરું કર્યું હતું.
Grateful to our sisters and brothers of Matua community for this unprecedented support.
આ ચૂંટણીમાં પીએમ મોદીના 'વિકાસ' અને મમતા બેનરજીના 'વિનાશ' મોડેલ વચ્ચે સ્પર્ધા : અમિત શાહ
આ પહેલા અમિત શાહે કૂચ બિહારની એક રેલીમાં પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જીને "નિષ્ફળ સંચાલક" ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના "વિકાસ મોડેલ" અને તેમના "વિનાશ મોડેલ" વચ્ચે હરીફાઈ થશે.
વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ભાજપ દ્વારા કાઢવામાં આવેલી પાંચ 'પરિવર્તન યાત્રાઓની ચોથી યાત્રાનો આરંભ કરતા પહેલા એક સભાને સંબોધન કરતાં શાહે કહ્યું,' મારો આ પ્રવાસ મુખ્યમંત્રી, ધારાસભ્ય અથવા મંત્રી બદલવા માટે નથી. ' આ ઘૂસણખોરીને સમાપ્ત કરવા માટે છે, આ હિંસાને સમાપ્ત કરવા અને 'સોનાર બાંગ્લા' બનાવવા માટે છે, આ બંગાળના પરિવર્તન માટે છે. તમે બંગાળમાં ભાજપને મત આપીને સત્તામાં લાવશો, તો નક્કી માનો કે ગેરકાયદે ઘૂસણખોર તો નહીં પણ સરહદ પારથી કોઈ પક્ષીને પણ રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. "