ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતમાં એક પણ ઘુસપેઠ કરનારને રહેવા દેવામાં નહીં આવે. અવૈધ અપ્રવાસિયોની સમસ્યા પર અમિત શાહે કહ્યું કે ભારતની ધરતી પર એક પણ અવૈધ અપ્રવાસીને રહેવા દેવાશે નહીં. અમિત શાહ ગોવાહાટીમાં પૂર્વોત્તર પરિષદને 68મી પૂર્ણ સત્રને સંબોધિત કરી રહ્યા હતા.
ગૃહ મંત્રી અમિત શાહ પૂર્વોત્તર પરિષદના ચેરમેન પણ છે. આ કાર્યક્રમમાં પૂર્વોત્તરના આઠ રાજયોના મુખ્યમંત્રી સામેલ થયા હતા. આસાસમાં એનઆરસી, પૂર્વોત્તરમાં ઘુસપેઠની સમસ્યા પર ગૃહમંત્રીએ કહ્યું કે દેશમાં એક પણ ઘુસપેઠ કરનારને રહેવા દેવામાં આવશે નહીં. એમણે કહ્યું કે આસામમાં એનઆરસી પ્રક્રિયા નક્કી સમયમાં પૂર્ણ થઇ છે.
અમિત શાહે કહ્યું, 'નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) પર કેટલાય લોકોએ કેટલાય સવાલ ઉઠાવ્યા છે. હું સ્પષ્ટ રૂપે કહી દેવા માંગું છું કે એક પણ અવૈધ અપ્રવાસીને ભારત સરકાર દેશમાં રહેવા દેશે નહીં. આ અમારું વચન છે.' 31 ઓગસ્ટે જાહેર કરાયેલ એનઆરસી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમિત શાહે કહ્યું છે કે તેને શેડ્યૂલ મુજબ પૂર્ણ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે એનઆરસીમાં નામ નાંખવા માટે 3 કરોડ 30 લાખ 27 હજાર 661 લોકોએ આવેદન આપ્યું હતું. દસ્તાવેજોની તપાસ બાદ 3 કરોડ 11 લાખ 21 હજાર 4 લોકોના નામ આ સૂચીમાં સામેલ કરાયા હતા. કુલ મળીને 19 લાખ 6 હજાર 657 લોકોના નામ એનઆરસીથી બહાર છે. આસામ સરકારે કહ્યું છે કે જેમનું નામ એનઆરસીમાં નથી તેમને વિદેશ ટ્રિબ્યૂનલ સામે પોતાની નાગરિકતા સાબિત કરવાની તક મળશે.
નોર્થ ઇસ્ટ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા અમિત શાહે કહ્યું કે પૂર્વોત્તરને વિશેષ દરજ્જો આપનારી અનુચ્છેદ 371નું ભારતીય બંધારણમાં વિશેષ સ્થાન છે અને બીજેપી સરકાર તેનું સમ્માન કરે છે. એમણે કહ્યું કે ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 371ની વિશેષ જોગવાઇ છે. અને બીજેપી સરકાર તેનું સમ્માન કરે છે. બીજેપી સરકાર તેમા કોઇપણ પ્રકારનો બદલાવ કરશે નહીં.