ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે કોરોના રોગચાળાને કારણે ઘણા કામો અટકી ગયા છે.CAA ના નિયમો બનાવવાના બાકી છે. રસીની શરૂઆત પછી અને કોરોના સંક્રમણ ચેઇન તૂટી ગયા પછી તે ધ્યાનમાં લેવામાં આવશે.
ગૃહ મંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન
CAA, NRC ને લઈને કહ્યું,કોરોના પછી લાગૂ કરીશું
હાલમાં દેશમાંઓ 1 કરોડથી વધુ કોરોના કેસો આવી ચૂક્યા છે
દેશમાં કોરોના વાયરસ કેસ 1 કરોડને વટાવી ગયો છે. દરમિયાન, કોવિડ રસી માટેની તૈયારીઓ ઝડપથી પ્રગતિ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોરોના રસી અભિયાન શરૂ થયા પછી સુધારેલા નાગરિકતા કાયદા CAA પર વિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોના રોગચાળાને કારણે ઘણા કામો અટકી ગયા છે. CAA ના નિયમો બનાવવાના બાકી છે. રસીની શરૂઆત પછી અને કોરોના ચેઇન તૂટી ગયા પછી તે ધ્યાનમાં લેવામાં આવશે.
CAA ના નિયમો હજુ ઘડવાના બાકી છે : અમિત શાહ
રવિવારે બંગાળ પ્રવાસના બીજા દિવસે પત્રકાર પરિષદને સંબોધતાં અમિત શાહે કહ્યું, "સુધારેલા નાગરિકત્વ કાયદા CAA ના નિયમો હજી ઘડાવાના બાકી છે કારણ કે કોરોના વાયરસને કારણે હજી ઘણી મોટી પ્રક્રિયા પૂર્ણ થવાની બાકી છે, જો કે જલ્દીથી રસીકરણ અભિયાન શરૂ થશે અને કોરોના ચેઇન તૂટી જશે, અમે તેના પર વિચાર કરીશું. "
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા અંગે બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર પ્રહાર કરતાં શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્રને ડેપ્યુટેશન પર સમન્સ જારી કરીને જે પી નડ્ડાની સુરક્ષા માટે જવાબદાર IPS અધિકારીઓને બોલાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે TMC એ કેન્દ્ર સરકાર તરફ આંગળી ચીંધતા પહેલા નિયમો પર ધ્યાન આપવું જોઈએ.
ત્રણ IPS અધિકારીઓને બોલાવવા તે બંધારણને અનુરૂપ : ગૃહમંત્રી
સાથે જ અમિત શાહે દાવો કર્યો હતો કે મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ સરકારની નિષ્ફળતાથી લોકોનું ધ્યાન હટાવવા માટે બંગાળની અંદર અને બહારનાનો મુદ્દો ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે જો ભાજપ સરકાર બંગાળમાં આવશે, તો રાજ્યનું સંચાલન કોઈ ધરતી પુત્ર જ કરશે.
ગૃહ મંત્રાલય દ્વારા પશ્ચિમ બંગાળ કેડરના IPS અધિકારીઓને બોલાવવા અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું કે કેન્દ્રએ બંધારણ અને કાયદા મુજબ રાજ્ય સરકારને પત્ર મોકલ્યો છે. તે દેશના સંઘીય બંધારણને અનુરૂપ છે. તૃણમૂલ સરકારે પહેલા નિયમો જોયા અને પછી કેન્દ્ર અને જનતા સાથે વાત કરવી જોઈએ.