વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત બીજી વાર રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) બની છે. આજથી નવી સરકારનું પહેલું સત્ર શરૂ થયું છે. આ સરકારના નવા ગૃહ મંત્રી અમિત શાહને સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીના નજીક રૂપ નંબર 8 મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રૂમ નંબર 10માં બેસે છે. અને રૂમ નંબર 9 તેમનો કોન્ફરન્સ રૂમ છે. તેની બરાબર બાજુ વાળો રૂમ નંબર 8 અમિત શાહને અલોટ કરવામાં આવ્યો છે. આપને જણાવીએ કે ગત કાર્યકાળમાં અમિત શાહથી પહેલા આ રુમમાં સંસદીય સચિવ બેસતા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ રૂમ નંબર 13માં બેસે છે. જ્યારે રૂમ નંબર 12 માં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ અને રૂમ નંબર 11માં વડાપ્રધાનનું કાર્યલય છે.
સુષ્મા-જેટલીનો રૂમ આમને મળ્યો
આ સિવાય રુમ નંબર 44 નિતિન ગડકરીને આપવામાં આવ્યો છે. આ રૂમ પહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળ્યો હતો અને અરુણ જેટલીનો રૂમ નંબર 27 થાવરચંદ ગહલોતને મળ્યો છે. જે રાજ્યસભામાં લીડર ઓફ ધ હાઉસ બનાવવામાં આવ્યા છે. આ વખતે અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજે ચૂંટણી લડ્યા નહોતા. તેથી તેમના રૂમ અન્ય મંત્રીઓને આપવામાં આવ્યા છે.
આપને જણાવીએ કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત બીજી વાર સરકાર બન્યા બાદ સંસદનું પહેલું સત્ર આજે એટલે કે સોમવારે શરૂ થઇ ગયું છે. આ સત્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ પણ રજૂ કરવામાં આવશે અને ત્રણ તલાક જેવા મહત્વપૂર્ણ બિલ પર સરકાર આગળ વધશે. 17મી લોકસભાનું બજેટ સત્ર 26 જૂલાઇ સુધી ચાલશે. રાજ્યસભાનું સત્ર 20 જૂને શરૂ થશે અને 26 જૂલાઇ સુધી ચાલશે.