અમિત શાહ...એક એવા રણનીતિકાર કે જેમની તુલના ચાણક્ય સાથે કરવામાં આવે છે..અને આ જ રણનીતિકારના હાથમાં છે હવે ગૃહમંત્રાલય....જેમ 2014માં મોદી સરકાર આવતા જ લોકોને તેમની પાસેથી જે અપેક્ષા હતી..તેવી જ અપેક્ષા દેશને હવે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી છે...દેશની સળગતી સમસ્યાઓના સમાધાન જનતા ઈચ્છી રહી છે..અને તેના જ નિવારણ માટે શાહ પર હવે સમગ્ર દારોમદાર છે...જમ્મૂ કશ્મીરમાં શાંતિ સ્થાપવી..અલગાવવાદીઓ અને આંતકી પ્રવૃત્તિઓ લગામ લગાવવી,નક્સલવાદ પર અંકુશ લાદવો વગેરે જેવી સમસ્યાઓ શાહ માટે પડકારરૂપ બની રહેશે..જો કે આ તમામ સમસ્યાઓ એવી છે જેના કારણે દેશ હંમેશા સળગતો રહ્યો છે..માટે જો આ સમસ્યાઓ દુર થશે તો કાશ્મીરમાં સાચા અર્થમાં સ્વર્ગ બનશે..જો આતંકીઓનો ખાત્મો થશે તો શાહના નામે ઈતિહાસ પણ રચાશે...ત્યારે સવાલ એ છે કે શું ખરેખર અમિત શાહ આ પડકારોને ઝીલી શકશે? કશ્મીરમાં શાંતિ સ્થાપવી તેમના માટે કેટલું કપરું છે? શું હશે કશ્મીરને લઈને તેમની આગામી રણનીતિ? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન