ભારતમાં છેલ્લા અમુક દિવસોથી અમુક રાજ્યોમાં કોરોનાના કેસોમાં ફરીથી વધારાનો ટ્રેન્ડ જોવાઈ રહ્યો છે જેમાં પંજાબ અને મહારાષ્ટ્રમાં કેસોમાં વધારો થતા ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા હતા.
અમિત શાહે કરી સમીક્ષા બેઠક
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન, ગૃહ સચિવ ભલ્લા સહિતના લોકો ઉપસ્થિત
લગાતાર પાંચમા દિવસે પણ એક્ટિવ કેસમાં નોંધાયો વધારો
પંજાબ અને મહારાષ્ટ્રમાં છેલ્લા અમુક દિવસોથી કોવિડ સંક્ર્મણ કેસોમાં વધારો જોવાઈ રહ્યો છે, જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે આજે અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે કરી કોરોના રિવ્યૂ મીટિંગ
સોમવારે ગૃહમંત્રી અમિત શાહની કોરોના સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, ગૃહ સચિવ અજય ભલ્લા અને બંને મંત્રાલયના અધિકારીઓ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં દેશમાં કોરોનાની સમીક્ષા અને ખાસ કરીને એવા રાજ્યોની ખાસ ચર્ચામાં કરવામાં આવી કે જ્યાં અમુક દિવસોથી સંક્ર્મણના કેસોમાં વધારો જોવાઈ રહ્યો છે.
સૂત્રોની માહિતી અનુસાર આ બેઠકમાં રસીકરણ પ્રક્રિયા, અને વાયરસના પ્રસાર પર લગામ લગાવવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી, મહત્વનું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 કેસો સામે આવતા કુલ કોવિડ કેસોની સંખ્યા 1.10 કરોડથી વધુ થઇ ગઈ છે અને એક્ટિવ કેસોમાં લગાતાર પાંચમા દિવસે પણ વધારો નોંધાયો છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છતીસગઢ અને મધ્ય પ્રદેશમાં કેસો વધવાનું સામે આવ્યું હતું.