બ્રેકિંગ ન્યુઝ
Nirav
Last Updated: 07:38 PM, 21 March 2021
ADVERTISEMENT
આજે પીએમ મોદીએ બંગાળમાં બાંકુરાથી ચૂંટણી સભાના માધ્યમથી મમતા બેનરજી પર પ્રહારો કર્યા હતા, તે જ સમયે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પાર્ટીનો ભાજપ દ્વારા તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો, તેને જો કે સંકલ્પ પત્રનું નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ્યારે તેને જાહેર કર્યો ત્યારે બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ સહિત પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
We have decided to call our manifesto a 'Sankalp Patra'. It is not just a manifesto but a resolution letter for West Bengal by the country's largest party: Home Minister Amit Shah pic.twitter.com/Ir9Z9czDYE
— ANI (@ANI) March 21, 2021
ADVERTISEMENT
આ ઢંઢેરો નહીં પણ સંકલ્પ પત્ર છે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે કોલકાતાની પાર્ટી કાર્યાલયમાંથી મેનિફેસ્ટો જાહેર કરતાં સમયે કહ્યું હતું કે અમે આને ' સંકલ્પ પત્ર'નું નામ આપવાનું યોગ્ય માન્યું. કારણ કે તે નક્કી છે કે આપણે હવે સોનાર બાંગ્લાને કેવી રીતે બનાવીશું. પશ્ચિમ બંગાળના લોકોની અપેક્ષાઓ કેવી રીતે પૂરી કરીશું.
We have decided that no infiltrators to be allowed in Bengal and border fencing will be strengthened: Home Minister and BJP leader Amit Shah pic.twitter.com/hEHHEJA3aa
— ANI (@ANI) March 21, 2021
મહત્વનું છે કે આ મેનિફેસ્ટો બહાર પાડતા પહેલા ભાજપે રાજ્યમાં મોટું અભિયાન શરૂ કર્યું હતું અને રાજ્યમાં જનતા કેવા પરિવર્તન ઇચ્છે છે તે વિશે લોકોનો અભિપ્રાય માંગ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાતે જ આ અભિયાનની શરૂઆત કરી હતી. ઢંઢેરો બહાર પાડ્યા પછી ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ભાજપ સરકારોની રચના થયા પછી જ સરકારોએ સંકલ્પ પત્ર પર ચાલવાનું શરૂ કર્યું છે. શાહે કહ્યું કે આ સંકલ્પ પત્ર અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે સોનાર બાંગ્લાનું સંકલ્પ પત્ર છે.
We have decided to provide free education to women from KG to PG: Home Minister and BJP leader Amit Shah in Kolkata
— ANI (@ANI) March 21, 2021
આ વિશ્વની સૌથી મોટી પાર્ટીનું સંકલ્પ છે : ગૃહમંત્રી શાહ
અમિત શાહે કહ્યું કે સંકલ્પપત્ર ફક્ત ઘોષણાઓ નથી, પરંતુ તે વિશ્વની સૌથી મોટી પાર્ટીની પ્રતિજ્ઞા છે, આ પ્રતિજ્ઞા તે દેશની છે જે દેશના 16 થી વધુ રાજ્યોમાં આ પક્ષ સરકાર ધરાવે છે, તે પ્રતિજ્ઞા છે તે પાર્ટીની, જેણે સતત બે વાર પૂર્ણ બહુમતીની સરકાર બનાવી. શાહે કહ્યું કે આ સંકલ્પ પત્રનો મૂળ હેતુ સોનાર બાંગ્લા છે. સદીઓથી બંગાળ ઘણા મોરચે ભારતનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે. બંગાળ દરેક ક્ષેત્રમાં આગળ રહેતું હતું.
Continuing PM Kisan Samman Nidhi Yojana, Rs 18,000, which Mamata didi didn't give to farmers since 3 years, would be transferred to 75 lakh farmers' bank accounts without any cut: Home Minister and BJP leader Amit Shah pic.twitter.com/8wpXvPWKm2
— ANI (@ANI) March 21, 2021
ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં મહિલા, ખેડૂતો, અનુસૂચિત જાતિ, માછીમારોને લઈને વિશેષ વચનો આપ્યા છે. આ સાથે, ભાજપે પણ તેના પશ્ચિમ બંગાળના ખેડૂતોને કિસાન સન્માન નિધિની બાકી રકમ આપવાનું વચન આપ્યું છે.
Three new AIIMS hospitals will be built in North Bengal, Jangalmahal and Sundarban so that locals don't have to travel to Kolkata to avail healthcare facilities: Home Minister and BJP leader Amit Shah #WestBengalElections2021 pic.twitter.com/7EwKWeZaq0
— ANI (@ANI) March 21, 2021
જાણો શું છે મહત્વના મુદ્દા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.