કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે
દ્વારકાધિશના કર્યા દર્શન
મોજપ ખાતે તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી થાબડી પીઠ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથોસાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે સવારે તેમણે દ્વારકાના જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધિશના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી.દ્વારકા પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રીનું હેલિપેડ ખાતે સ્થાનિક ભાજપ અગ્રણીઓ તથા દ્વારકામાં કલેક્ટર અને ધનરાજ નથવાણી દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ ધર્મપત્ની સાથે દ્વારકાધીશના દર્શન કરીને ભગવાનની ચરણ પાદુકાનું પૂજન કર્યું કર્યું હતું.
મોજપ ખાતે તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી થાબડી પીઠ
દ્વારકાધીશના દર્શન કરીને અમિત શાહ મોજપ ખાતે મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી અને મોજપ ખાતે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓની પીઠ થાબડી હતી. તો આ સાથે જ તાલીમાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
द्वारका की पवित्रभूमि पर स्थित श्री द्वारकाधीश मंदिर में भगवान श्री कृष्ण के दर्शन कर राष्ट्र की उन्नति व प्रगति के लिए प्रार्थना की।
દ્વારકા, ગુજરાતની પવિત્ર ભૂમિ પર આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી. pic.twitter.com/CpEi8FsRUB