સંસદ સત્રમાં સામેલ થવા દરમિયાન દેશના હાલના ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ ગૃહમંત્રી પી. ચિદંમ્બરમ આમને સામને આવી ગયા હતા.
સંસદભવનમાંથી રસપ્રદ તસ્વીર સામે આવી
હાલના ગૃહમંત્રી અને પૂર્વ ગૃહમંત્રી આમને સામને આવી ગયા
બંને નેતાઓએ હસતા હસતા અભિવાદન ઝીલ્યું
સંસદ ભવનમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ મોંઘવારી, પેટ્રોલ-ડીઝલની કિંમતો સહિતના મુદ્દા પર સરકારને ઘેરી રહી છે. જો કે, આ તમામની વચ્ચે સંસદમાંથી એક વિચિત્ર તસ્વીર સામે આવી છે. સંસદ સત્રમાં સામેલ થવા દરમિયાન દેશના હાલના ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ ગૃહમંત્રી પી. ચિદંમ્બરમ આમને સામને આવી ગયા હતા. બંને નેતાઓએ એકબીજાની સામે જોઈને હસતા હસતા અભિવાદન કર્યું હતું. સંસદમાં બઘડાટી બોલાવતા માહોલની વચ્ચે નેતાઓ વચ્ચે ઘણી વાર આકરાં તેવર પણ જોવા મળતા હોય છે. આમ પણ જોઈએ તો, પૂર્વ ગૃહમંત્રી ચિદંબરમ સતત ભાજપ પર પ્રહારો કરતા આવ્યા છે.
Delhi | Union Home Minister Amit Shah and former Home Minister P Chidambaram greeted each other on their arrival in parliament. pic.twitter.com/px4mmwXHhx
પી. ચિંદબરમે મોદી સરકારની આર્થિક નીતિઓને લઈને મોટા ભાગે ટિકા કરતા રહ્યા છે. હાલમાં જે તેમણે ફ્યૂલ ટેક્સ કલેક્શનને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો કર્યા હતા. ચિદંબરમે લખ્યું હતું કે, મોદી સરકારના 8 વર્ષોમાં કેન્દ્ર સરકારે 26,51,919 કરોડ રૂપિયાનું ઈંધણ કર તરીકે વસૂલ્યા હતા. ભારતમાં લગભગ 26 કરોડ પરિવાર છે. તેનો અર્થ એ થાય છે કે, કેન્દ્ર સરકારે દરેક પરિવારમાંથી સરેરાશ 1,00,000 રૂપિયા ફ્યૂલ ટેક્સ તરીકે ખંખેરી લીધા. જો કે, ચિંદબરમના આ દાવા પર સવાલો કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા એકઠુ કરવામાં આવેલો ફ્યૂલ ટેક્સ પર મારી કોલમ અને ટ્વીટ, સરકારના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસિ સેલના અધિકારીઓએ પ્રકાશનમાંથી લઈ લીધું હતું. આ સાર્વજનિક ડોમેનમાં મળી રહેશે.
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓના ખતરાને લઈને કર્યા હતા સવાલો
ચિદંબરમે ગત મહિને યુક્રેનના મુદ્દા પર ભારતના વલણને લઈને સરકાર પર સવાલોનો મારો કર્યો હતો. તેમણે 2 માર્ચે ટ્વિટમાં લખ્યું હતું કે, ભારત સરકારને પોતાના મૌખિક સંતુલન બનાવી રાખવાની નીતિને રોકવી જોઈએ અને કડક માગ કરવી જોઈએ કે રશિયા યુક્રેનના મુખ્ય શહેરોમાં બોમ્બ બ્લાસ્ટને તાત્કાલિક રોકે, જો બોમ્બ બ્લાસ્ટ રોકી દેવામા આવે તો, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં સરળતા રહે. તેમણે આગળ લખ્યું કે, સરકારને નિકાસીના આદેશ આપવામાં મોડુ થયું અને તે વિશ્વાસ કરાવવા માટે પણ દોષિત હતું કે, યુક્રેનમાં કંઈ પણ થવાની સંભાવના નથી. વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીયોના જીવનને જોખમ હતું. ભારતે જોરથી અને બહાદુરીથી બોલવાની જરૂર હતી. અને માગ કરવાની હતી કે, રશિયા બોમ્બ બ્લાસ્ટ રોકી દે.