આજે કેન્દ્રીય ગૃહ મંત્રી ઝારખંડના પ્રવાસે હતા. આ દરમિયાન એક વિકાસ સંકલ્પ રેલીમાં ઝારખંડની સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઝારખંડ સરકાર દેશમાં સૌથી ભ્રષ્ટ સરકાર છે તેને લોકો ઉખાડી ફેકશે.
મિશન ઝારખંડ પર ગૃહમંત્રી અમિત શાહ
બજેટમાં મિડલ ક્લાસને લાભ : અમિત શાહ
આજે શનિવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઝારખંડના પ્રવશે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે દેવધરમાં એક વિકાસ રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે ઝરખંડની સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દેશમાં જો કોઈ ભરષ્ટ સરકાર હોય તો તે ઝારખંડ સરકાર છે. લોકો આવી ભ્રષ્ટ સરકારને આગામી ચૂંટણીમાં ઉખાડી ફેંકી દેશે.અમિત શાહે ઝરખંડની હેમંત સોરેનની સરકાર પર પ્રહાર કરતા આદિવાસી છોકરીઓની હત્યા મામલે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, સોરેનની સરકાર તુસ્તિકારણની રાજનીતિ કરે છે. તેમને આરોપ લગાવતા કહ્યું હતું કે,રાજ્યમાં આદિવાસીઓની જનસંખ્યા ઘટી રહી છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમને લઈને તેમને કહ્યું કે જામતારા અને દેવધર સાઇબર ક્રઇમ માટેનું હબ બની ગયાની પણ આ વિકાસ રેલીમાં વાત કરી હતી.
झारखण्ड के अनेक जिलों में जनजातीय भाइयों-बहनों की जनसंख्या कम हो रही है और घुसपैठियों की जनसंख्या बढ़ रही है क्योंकि यहाँ की हेमंत सोरेन सरकार वोटबैंक के कारण चुप है। pic.twitter.com/0SNqlz9SlB
ભારત સરકાર તરફથી મળતી મદદની અવગણના
ઝારખંડના દેવધારમાં યોજાયેલી વિકાસ રેલીમાં કેન્દ્રીય મંત્રી અમીત શાહે સોરેન સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે ભારત સરકાર દવારા આપવામાં આવતી તમામ મદદની રાજ્ય સરકાર અવગણના કરી રહી છે.
झारखण्ड की जनता सोरेन सरकार के भ्रष्टाचार, तुष्टीकरण और लचर कानून-व्यवस्था के शासन से ऊब चुकी है और अब बदलाव चाहती है।
આજે દેવધારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની તમામ બેઠક એટલે કે 14 લોકસભાની બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પૂર્ણ બહુમતી સાથે વિધાનસભાની ચૂંટણી પણ જીતવાની વાત રેલીમાં કરી હતી.બજેટ પાર નિવેદન આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઝારખંડના દેવધરમાં જણાવ્યું હતું કે , આદિવાસી માટે 740 એકલવ્ય મોડલ શાળા બનનાવવામાં આવશે. આ ઉપરાંત 38000 શિક્ષકોની ભરતી પણ કરશે.