ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર સમાજના તમામ વર્ગ માટે 'આશાનું કિરણ' અને રાસ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ગરીબોના કલ્યાણની 'પર્યાય' છે. મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થવા પર શાહે કહ્યું કે આ સમયગાળા દરમિયાન એમણે અનુચ્છેદ 370 હેઠળ જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવા સહિત ઘણા 'ઐતિહાસીક નિર્ણય' લીધા.
એમણે ટ્વિટ કરતા કહ્યું કે, 'મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ગરીબોના કલ્યાણની પર્યાય છે.' ભાજપા અધ્યક્ષ શાહે કહ્યું કે મોદી સરકાર સમાજના તમામ વર્ગની આશાનું કિરણ છે. એમણે કહ્યું કે, 'મોદી 2.0ના 100 દિવસોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા ઐતિહાસીક નિર્ણય લીધા જેના માટે પ્રત્યેક ભારતીયે 70 વર્ષો સુધી રાહ જોઇ હતી.'
એમણે કહ્યું, 'હું મોદી 2.0ના ઐતિહાસિક 100 દિવસો માટે વડાપ્રધાન નરેદ્ર મોદીજી અને મંત્રિમંડળના તમામ સહયોગીઓને ધન્યવાદ પાઠવું છું.' એમણે કહ્યું કે 'હું તમામ દેશવાસીઓને આશ્વસ્ત પણ કરવા ઇચ્છું છું કે મોદી સરકાર પોતાના દેશના વિકાસ, કલ્યાણ અને સુરક્ષા માટે કોઇ કસર નથી છોડી.
જ્યારે બીજી તરફ કોંગ્રસ નેતા કપિલ સિબ્બલે કેન્દ્ર સરકારના 100 દિવસ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ કરી મંદીને કારણે નોકરીઓની છટણી પર સવાલ પૂછ્યા છે. એમણે કહ્યું કે વડાપ્રધાન બતાવે કે દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ કેમ છે.