પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતની જનગણતરી 2021ની પ્રક્રિયા શરૂ કરવા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) ને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે, એનપીઆર (NPR) અને એનઆરસી (NRC) વચ્ચે કોઇ સંબંધ નથી.
અમિત શાહે કહ્યું, NPRમાં નામ સામેલ ના હોવા પર નાગરિકતા નહીં જાય
કોંગ્રેસે વર્ષ 2010માં એનપીઆરની પ્રક્રિયા શરૂ કરી હતી
એનઆરસી પર કેબિનેટ અને સંસદમાં કોઇ ચર્ચા નથી થઇ
અમિત શાહે કહ્યું કે, આ હું સ્પષ્ટપણે કહું છું. દેશભરમાં એનઆરસી પર કોઇ વાત નથી થઇ રહી. તેના પર ચર્ચાની કોઇ જરૂર નથી. પીએમ નરેન્દ્ર મોદીએ યોગ્ય કહ્યું હતું કે, એનઆરસી પર કેબિનેટ અને સંસદમાં કોઇ ચર્ચા નથી થઇ. જ્યાં સુધી પાર્ટીના ઘોષણાપત્રની વાત છે, તો સંસદમાં ચર્ચા થવી અને પાર્ટીના ઘોષણાપત્રમાં સામેલ હોવું અલગ-અલગ વાત છે. નાગરિકતા સંશોધન કાયદો (CAA), NPR અને NRCને લઇને વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે. વિપક્ષ તેને લઇને અફવા ફેલાવી રહ્યું છે.
#WATCH Home Minister Amit Shah speaks to ANI on National Population Register, NRC/CAA and other issues. https://t.co/g4Wl8ldoVg
જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે, બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદાને લાગૂ કરવાથી ઇનકાર કરી રહ્યા છે. તેના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાજ્યોના મુખ્યમંત્રીઓએ એવું કોઇ કામ ન કરવું જોઇએ કે, જેના કારણે મુશ્કેલીઓ ઉભી થાય. તેને લઇને હું રાજ્યોના મુખ્યમંત્રીઓને સમજાવવાની પૂર્ણ કોશિશ કરીશ.
અમિત શાહે કહ્યું કે, કોઇપણ લઘુમતિએ એનપીઆર (NPR) ને લઇને ડરવાની કોઇ જરૂર નથી. કોંગ્રેસે વર્ષ 2010માં એનપીઆરની પ્રક્રિયા શરૂ કરી હતી. એક સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે, એનપીઆરમાં આધાર નંબર આપવામાં કોઇ આશ્ચર્યની વાત નથી. એનપીઆર ના અમારા ઘોષણા પત્રમાં સામેલ છે.
જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે, જો એનપીઆરમાં કોઇનું નામ સામેલ થવાથી રહી જાય છે તો, શું તેની નાગરિકતા ચાલી જશે, તો અમિત શાહે કહ્યું કે, હું આ વાત સ્પષ્ટ કરું છું કે, એનપીઆરમાં કોઇનું નામ સામેલ ન હોવાથી કોઇની નાગરિકતા જશે નહીં. આ એનઆરસીથી અલગ છે.