દેશભરમાં ગણેશ ચતુર્થી રંગે ચંગે મનાવવામાં આવી રહી છે. આ તરફ દેશભરમાં ગણેશ ચતુર્થીની ધૂમ મચી છે. ત્યારે મહારાષ્ટ્રમાં આ પર્વની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીંના મંદિરોમાં બપ્પાના દર્શન દર્શન કરવા માટે લોકોની ભીડ જામી છે. ત્યારે ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ પરિવાર સાથે સિદ્ધિ વિનાયક મંદિરમાં બપ્પાના આશિર્વાદ લીધા હતા.
પરિવાર સાથે સિદ્ધિ વિનાયક પહોંચ્યા ગૃહમંત્રી
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહ પોતાના સમગ્ર પરિવાર સાથે સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન ગણપતિના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ લાલબાગ કા રાજાના દર્શને પણ ગયા હતા.
આપને જણાવી દઇએ કે, અમિત શાહ પહેલી વખત સિદ્ધિ વિનાયક ગણપતિના દર્શન કરવા નથી આવ્યા તેઓ દર વર્ષે પરિવાર સાથે ગણેશ ઉત્સવ દરમિયાન સિદ્ધિ વિનાયક અને લાલબાગ જાય છે. આ સાથે જ તેમણે ટ્વીટ કરીને દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ સોમવારે મોડી સાંજે મુંબઇના લાલબાગ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવાર જનો સાથે લાલબાગ કા રાજા પાસે માથું ટેકવ્યું હતું.
શું કહે છે પંચાગ
गणेश चतुर्थी के पावन पर्व पर आज मुंबई में श्री सिद्धिविनायक के दर्शन कर पूजा अर्चना की।
विघ्नहर्ता श्री गणपति बप्पा सबका मंगल करें ऐसी कामना करता हूँ।
ઉલ્લેખનીય છે કે, આજથી ભગવાન ગણપતિના તહેવારનો શુભારંભ થયો છે. ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન 10 બાદ 12 સપ્ટેમ્બરના રોજ થશે. પંચાગ અનુસાર, ચતુર્થી તિથિ 2 સપ્ટેમ્બર 4.57 વાગ્યાથી શરૂ થશે અને 3 સપ્ટેમ્બરના રોજ 1.54 વાગે સમાપ્ત થશે.
એમ માનવામાં આવે છે કે અહીં ગણેશ પ્રતિમાના દર્શન કરવા માત્રથી શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂરી થઈ જાય છે. સિદ્ધી વિનાયકના દરબારમાં અનેક રાજનેતાથી લઈને બોલીવુડના સિતારાઓ દર્શન માટે આવતા હોય છે.