કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે જનધન યોજનાને કારણે 45 કરોડ નવા લોકોના બેન્ક ખાતા ખૂલ્યા છે અને 32 કરોડ લોકોને ડેબિટ કાર્ડનો પણ લાભ મળ્યો છે
બેન્કિંગ ક્ષેત્રમાં પહેલા કરતાં હાલ ઘણો સુધારો આવ્યો છે - અમિત શાહ
નવા 32 કરોડ લોકોને ડેબિટ કાર્ડનો પણ લાભ મળ્યો છે
જનધન યોજનાને કારણે 45 કરોડ નવા લોકોના બેન્ક ખાતા ખૂલ્યા
સરકાર તરફથી દેશના લોકો માટે ઘણા કલ્યાણકારી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. હવે એ કલ્યાણકારી પગલાં મુજબ સહકારી બેન્કના ગ્રાહકોને પણ સરકારની બધી જ યોજનાઓનો લાભ મળશે. આ માટે સહકારી બેન્કને ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર (DBT) સાથે જોડવાનો પ્લાન બની રહ્યો છે. હાલ જ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધવામાં આવેલ એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.
હાલના સમયમાં ચાલી રહેલી 300 યોજના
સરકારના 52 મંત્રાલયો તરફથી હાલના સમયમાં સંચાલિત 300 યોજનાઓનો લાભ ડીબીટીના માધ્યમથી લાભાર્થીઓ સુધી પંહોચડવામાં આવે છે. હવે આ બધી જ યોજનાઓનો ફાયદો સહકારી બેન્કના ગ્રાહકોને મળશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્રમાં પહેલા કરતાં હાલ ઘણો સુધારો આવ્યો છે અને તેને કારણે દેશના નાગરિકોને બેન્કિંગ સેવાનો ઘણો લાભ મળી રહ્યો છે.
એક ટ્રિલિયન ડોલરથી વધુ ઊંચાઈએ પંહોચ્યું ડિજિટલ લેણદેણ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે જનધન યોજનાને કારણે 45 કરોડ નવા લોકોના બેન્ક ખાતા ખૂલ્યા છે અને 32 કરોડ લોકોને ડેબિટ કાર્ડનો પણ લાભ મળ્યો છે. પીએમ મોદીના 'સહકાર થી સમૃધ્ધિનો સંકલ્પ' યોજણાંને કારણે આ બધુ શક્ય બન્યું છે. અમિત શાહે આગળ જણાવ્યું હતું કે સમૃધ્ધિ અને આર્થિક ઉત્થાનઆ સહકારિતાનું મહત્વનું યોગદાન રહ્યું છે. નવા ખાતા ખૂલ્યા પછી ડિજિટલ લેણદેણ એક ટ્રિલિયન ડોલરથી વધુ થયું છે અને 2017-18 થી આ વર્ષે 50 ગણો વધારો જોવા મળ્યો છે.
સમયસર લોનની ચુકવણી કરનારાઓને લાભ મળે છે
બીજી તરફ અમિત શાહે ગુરુવારે નવા સહકારિતા મંત્રાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ગયા વર્ષે આ સહકારિતા મંત્રાલય રાજધાની દિલ્હીના કૃષિ ભવનમાંથી કામ કરી રહ્યું હતું. આ સાથે જ અમિત શાહે કહ્યું હતું કે આરબીઆઇ અને નાબાર્ડએ બેન્કિંગ નિયમો બનાવ્યા છે તેના પર બધા જ કૃષિ બેન્કો ખરા ઉતર્યા છે અને જે બેન્ક પહેલા 12 થી 15 ટકા વ્યાજ પર લોન આપતી હતી તેને વ્યાજદર 10 ટકા કરી નાખ્યા છે. એટલું જ નહીં સમયસર લોનની ચુકવણી કરનારાઓને 2 ટકાની છૂટ પણ આપવામાં આવે છે.