પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક છે ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહે હાવડાની કે રેલીને વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી સંબોધિત કરી હતી.
હાવડા પહોંચી સ્મૃતિ ઈરાની, અમિત શાહે પણ કર્યું સંબોધન
બંગાળની જનતા મમતા બેનર્જીને માફ નહીં કરે : અમિત શાહ
કિસાન સમ્માન નિધિ યોજના મુદ્દે મમતા પર શાહે કર્યા વાર
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માથે છે ત્યારે ભાજપે પ્રચાર તેજ બનાવ્યો છે ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહે હાવડાની એક રેલીમાં મમતા બેનર્જી પર જોરદાર હુમલા કર્યા હતા. તેમણે કહ્યું કે મમતા રાજયને આગળ લઈ જવાની જગ્યાએ પાછળ લઈ ગયા છે, સાથે જ તેમણે મોટું એલાન કરતાં કહ્યું કે સરકાર આવી તો કેબિનેટમાં પહેલો નિર્ણય આયુષ્માન ભારત યોજના લાગુ કરવાનો લેવામાં આવશે.
પહેલી જ કેબિનેટમાં લાવીશું પ્રસ્તાવ : શાહ
અમિત શાહે કહ્યું કે દીદી બંગાળની જનતાને આયુષ્માન ભારત યોજનાનો લાભ નથી આપી રહ્યા કારણે યોજના મોદીજીએ શરૂ કરી છે. હું જનતાને વિશ્વાસ અપાવું છું કે ભાજપ સરકાર આવ્યા બાદ પહેલી જ કેબિનેટમાં પ્રસ્તાવ કરીશું કે રાજ્યમાં આ યોજના લાગુ કરવામાં આવે.
કોને બેવકૂફ બનાવી રહ્યા છો? : શાહ
મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધતાં તેમણે કહ્યું કે મમતા દીદીએ એક કાગળ મોકલ્યો છે કે અમે કિસાન સમ્માન નિધિ યોજના લાગુ કરવા માટે સહમત છે. દીદી તમે કોને બેવકૂફ બનાવી રહ્યા છો? માત્ર એક કાગળ મોકલાવ્યો છે, તેની સાથે ખેડૂતોની યાદી, બેન્કના ખાતા નંબર જોઈએ, તમે કશું નથી મોકલ્યું.
અમિત શાહે વધુમાં કહ્યું કે મમતા દીદીએ બંગાળની ધરતીને રક્ત રંજીત કરી છે. સરકારે ઘુષણખોરોને છૂટ આપેલી છે. આ લોકોને માત્ર મોદીજીના નેતૃત્વમાં બનવા જઈ રહેલી ભાજપ સરકાર જ રોકી શકે છે.
એક દિવસ મમતા એકલા પડી જશે : શાહ
શાહે કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર દેશ કલ્યાણમાં લાગી છે જ્યારે મમતા સરકાર ભત્રીજાના કલ્યાણમાં લાગી છે. જૉ ટીએમસીએ વિકાસ કર્યો છે તો તો આજે આટલા બધા નેતાઓ પાર્ટી કેમ છોડી રહ્યા છે? એ હિસાબે બધા ભાજપમાં સામેલ થઈ રહ્યા છે તે હિસાબથી એક દિવસ મમતા બેનર્જી પાછળ વળીને જોશે તો એકલા જ હશે, તેમની સાથે કોઈ નહીં હોય.
જનતા માફ નહીં કરે : શાહ
તેમણે કહ્યું કે બંગાળની જનતા મમતાને માફ નહીં કરે, મમતાએ પરિવર્તનનો નારો આપ્યો હતો પરંતુ છેલ્લા દસ વર્ષનો ઇતિહાસ જ જોઇ લો. અમે બંગાળમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવવા જઈ રહ્યા છે.