ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ગયા હતા. ગૃહમંત્રી તરીકે અમિત શાહનો જમ્મુ-કશ્મીરનો પહેલો પ્રવાસ છે. બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા વિશે સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ શાહ અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પણ જવાના છે.
હુર્રિયત અને ભાગલાવાદી નેતાઓનો મામલે મંથન
ગૃહમંત્રીની જમ્મુ-કશ્મીર મુલાકાત પહેલાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, ભાગલાવાદી નેતાઓ ખીણમાં શાંતિ માટે વાતચીત કરવા તૈયાર છે. જોકે ડોગરા ફ્રન્ટના કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ કરાયો હતો. .ભાજપના કાર્યકરોના મતે અમિત શાહે હુર્રિયત અને ભાગલાવાદી નેતાઓ સાથે કોઈ વાતચીત કરવી ન જોઈએ.
Union Home Minister, Shri @AmitShah chaired a meeting in Srinagar to review the security arrangements for the holy Amarnath Yatra. pic.twitter.com/RjEhmSzptO
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 26, 2019
અમરનાથ યાત્રાની સુરક્ષા મુદ્દે કરી ચર્ચા
સરકારે પાકિસ્તાની તરફી સૈય્યદ અલી શાહ ગિલાની અને મીરવાઈઝ ઉમર ફારુક જેવા નેતાઓને જેલમાં નાખવા જોઈએ..આ ઉપરાંત કશ્મીરમાં અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થવાની છે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે. તે માટે રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. અનંતનાગના પહલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ ટ્રેક પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ રસ્તા પર એક લાખ કરતા વધારે સેનાના જવાનોને સ્ટેન્ટ ટુ રખાયા છે.
The Governor of Jammu & Kashmir, Shri Satya Pal Malik receive Union Home Minister, Shri @AmitShah on his arrival at Srinagar Airport. pic.twitter.com/qgd3vkR6dc
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 26, 2019
જમ્મુ-કશ્મીરની મુલાકાત પહેલાં શાહ તરફથી કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં જમ્મુ કશ્મીર અનામત સુધારણા બિલ 2019 રજૂ કર્યું હતું. તેના દ્વારા અનામત અધિનિયમ 2004માં સુધારણા કરવામાં આવશે. બિલ પાસ થવાથી આંતરરાષ્ટ્રીય સીમા પાસે રહેતા લોકોને અનામતનો લાભ મળશે. સુધારણા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જે પછાત વિસ્તાર, LOC અને આંતરરાષ્ટ્રીય સીમાથી સુરક્ષાના કારણોસર સ્થળાંતર કર્યું હશે ,તેને પણ અનામતનો ફાયદો મળી શકે છે.