રૂ.35 કરોડના ખર્ચે બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું
આજે અમિત શાહ પકવાન ચારરસ્તા પર બનેલા બ્રિજનું ઈ-લોકાર્પણ કરશે. સરખેજ ચોકડી પર બનેલા ઓવરબ્રિજનું પણ અમિત શાહ ઈ-લોકાર્પણ કરશે. નવા અમદાવાદ શહેરથી ગાંધીનગર જતા લોકો માટે પણ મોટી રાહત થશે.
એસ.જી.હાઈવેનું ટ્રાફિક ભારણ ઓછું થશે
હવે ઈસ્કોન ઓવરબ્રિજથી સીધા જ સોલા ઓવરબ્રિજ સુધી સરળતાથી પહોંચી શકાશે. એસ.જી.હાઈવે પર સૌથી મોટા બે ટ્રાફિક પોઈંટને ઓવરપાસ કરી શકાશે. સરખેજથી ચિલોડા સુધી ઓવરબ્રિજ પ્રોજેક્ટના ભાગરૂપે પહેલું મોટું કામ પૂર્ણ થયું છે. સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધી બની રહેલા 6 ઓવરબ્રિજમાંથી બેનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેથી સૌરાષ્ટ્રમાંથી આવતા સરખેજ થઈને ગાંધીનગર જવા માગતા લોકોને પણ મોટી રાહત થશે. એટલું જ નહીં પણ જાહેર વાહનવ્યવહાર સેવાને પણ આ બે ઓવરબ્રિજના લોકાર્પણથી સમયની બચત થશે. અમદાવાદના સૌથી વધુ વાહન લોડ ધરાવતા એસ.જી.હાઈવેનું ટ્રાફિક ભારણ ઓછું થશે
રૂ.35 કરોડના ખર્ચે બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું
સરખેજ ચોકડી પર ઓવરબ્રિજ 36 કરોડના ખર્ચે બન્યો છે જ્યારે પકવાન ચાર રસ્તા પર 35 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બન્યો છે. 2016માં 867 કરોડના ખર્ચે એસ.જી.હાઈવે પર 6 બ્રિજ બનાવવાના કામો મંજૂર થયા હતા. આ ઓવરબ્રિજ માર્ગ અને મકાન વિભાગના બજેટમાંથી બની રહ્યાં છે.