આજે પર્યટન દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વોત્તરના રાજ્યો માટેના ફેસ્ટની શરૂઆત કરાવી અને તેમાં તેમણે પોતાની સરકારની ઘણી ઉપલબ્ધીઓ ગણાવી હતી.
આજે વિશ્વ પર્યટન દિવસ પર અમિત શાહે ડેસ્ટીનેશન નોર્થ ઈસ્ટ 2020 ફેસ્ટની શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે પૂર્વોત્તર વગર ભારત અને ભારતીય સંકૃતિ અધૂરી છે. તેમણે કહ્યું કે પૂર્વોત્તરની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનું આભૂષણ છે. અમિત શાહે આ કાર્યક્રમમાં સરકારની ઉપલબ્ધીઓ ગણાવીને કહ્યું કે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપના જરૂરી હતી જેથી અર્થવ્યવસ્થા, પર્યટન અને રોજગાર વધી શકે. પૂર્વોત્તરમાં પહેલા હિંસા, ઉગ્રવાદ અને બંધના કારણે ચર્ચામાં રહેતું હતું પરંતુ હવે વિકાસની વાતો થઇ રહી છે.
અમિત શાહે કહ્યું કે તેઓ ભારતમાં કેટલાય પર્યટન સ્થળ પર ફરેલા છે પરંતુ પૂર્વોત્તર જેવી વાત ક્યાંય નથી. તેમણે કહ્યું કે પૂર્વોત્તર વગર ભારત અને ભારતીય સંસ્કૃતિ અધૂરા લાગે છે. ભારતીય સંસ્કૃતિ ત્યાં સુધી પૂર્ણ નથી જ્યાં સુધી તેમાં પૂર્વોત્તરની સંસ્કૃતિ સામેલ ન હોય કારણ કે પૂર્વોત્તરની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનું મુગુટ છે.
ગૃહમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યમાં અવ્યવસ્થાને દૂર કરીને શાંતિસ્થાપનાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અર્થવ્યવસ્થા, પર્યટન અને રોજગારની દિશામાં આગળ વધવા માટે પૂર્વોત્તરમાં શાંતિને સુનિશ્ચિત કરવી આવશ્યક હતી. છેલ્લા છ વર્ષોમાં જે પૂર્વોત્તર ઉગ્રવાદ, હિંસા, બંધનાં કારણે ચર્ચામાં રહેતું હતું ત્યાં હવે વિકાસ, ઉદ્યોગો, ઓર્ગેનિક ફાર્મિંગ અને સ્ટાર્ટઅપસની વાત થઇ રહી છે.