નવસારીમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 2 કરોડના ખર્ચે બનેલું નવા પોલીસ સ્ટેશનનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું
ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
ખેડાથી ગુજરાત પોલીસના રહેઠાણ અને બિન રહેઠાણ આવાસોનું લોકાર્પણ કર્યું
25 જિલ્લામાં 348 કરોડના ખર્ચે તૈયાર થયા છે પોલીસ રહેઠાણ
દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહે ખેડા ખાતે 348 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગુજરાત પોલીસના રહેઠાણ અને બિન રહેઠાણ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં અમિત શાહે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર આવીને હંમેશા નવી ચેતના અને ઊર્જા પ્રાપ્ત થાય છે. આપણો દેશ આઝાદ થયો ત્યારથી સમગ્ર દેશની પોલીસ દેશની આંતરિક સુરક્ષા માટે કટિબદ્ધ છે. અનેક પડકારો હોવા છતાં સમય સાથે પોલીસે પોતાને અપગ્રેડ કરી દેશ તોડવાના મનસૂબા લઈ ષડયંત્રો કરનારા અનેક લોકોને જેલના સળીયા પાછળ ધકેલાયા છે.
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને માન. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે પોલીસ બેડાનું આધુનિકીકરણ કર્યું છે. નીતિઓ આધારિત કામગીરીના પરિણામે આજે ગુજરાતની પોલીસ દેશની સૌથી યુવા પોલીસમાંની એક છે. pic.twitter.com/KUl7Qhz2WD
'અત્યાર સુધીમાં 31,146 જવાનોને રહેવાના મકાન આપવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું'
વધુમાં અમિત શાહે કહ્યું હતું કે આજે ૩૪૮ કરોડના ખર્ચે પોલીસના રહેણાંક તેમજ બિન રહેણાંક જેવા કે આઈબી ઓફિસ, પોલીસ ડિસ્પેન્સરી, પોલીસ સ્ટેશન, પોલીસ બેરેક, સ્પોર્ટ્સ ફેસિલિટી, વાયરલેસ વર્કશોપ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ ના મકાનો, ડોક કેનાલ સહિતના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ થયું છે. પોલીસ જવાનોને વધુ અસરકારક સાથે કાર્ય કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાની ચિંતા ગુજરાત સરકાર સતત કરી રહી છે તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. 2001 નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજે 2022માં ભુપેન્દ્ર પટેલના કાર્યકાળ સુધી 3840 કરોડ રૂપિયાના ખર્ચે 31,146 જવાનોને રહેવાના મકાન આપવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું છે.
આધુનિક પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ
તો બીજી તરફ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે લાબા સમયથી આધુનિક અને સુવિધાથી સજ્જ પોલીસ સ્ટેશનની માંગ હતી ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ખેડા ખાતે થી પોલીસ સ્ટેશનનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન એવું સ્થળ હોય કે જ્યાંથી કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે અધિકારી કર્મચારીઓ સતત મોનીટરીંગ કરતા હોય છે.નાગરિકો પોતાની સાથે થયેલા અન્યાય બાબતે ફરિયાદ કે અરજી સહિત પાસપોર્ટ કે અન્ય કામો માટે સતત કચેરીની મુલાકાત લેતા હોય છે. ત્યારે પોલીસ માટે પણ એક આધુનિક કચેરી હોવી એ સમયની જરૂરીયાત બની છે ત્યારે લાંબા સમયથી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં પોલીસ સ્ટેશન મામલતદાર કચેરીમાં કાર્યરત હતું ત્યારે રાજ્ય સરકારે આશરે 2 કરોડના ખર્ચે આધુનિક અને સુવિધાથી સજ્જ પોલીસ સ્ટેશન નું નિર્માણ કરાવી આજે ખેડા ખાતે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કર્યું હતું.
'આધુનિક પોલીસ સ્ટેશનથી આદિવાસીનો ઘણો લાભ થશે'
ખેરગામ ખાતે આદિજાતિ વિકાસ અને અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી નરેશ પટેલ સહિત જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી પંથકમાં નાગરિકો પોતાની ફરિયાદ અને અરજી નિર્ભિક પણ કરી શકે તે માટે એક આધુનિક અને સુવિધાથી સજ્જ કચેરી નું નિર્માણ કરતાં સમગ્ર ખેરગામ પંથકમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ પ્રસંગે નરેશ પટેલ દ્વારા આદિવાસી વિસ્તારમાં થતા પ્રોજેક્ટોને લઇને વિરોધ પ્રદર્શન એક તરફ પાણી માંગે છે તો બીજી તરફ કામ કરવા દેતા નથી એ પ્રકારનો કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો.