દિલ્હીમાં પીએમ આવાસ પર આવતી કાલે એટલે કે સોમવારના રોજ સવારે 9:30 કલાકે કેબિનેટની બેઠક થશે. સૂત્રોના હવાલાથી એવા સમાચાર સામે આવ્યાં છે કે કેન્દ્ર સરકાર કેબિનેટની આ બેઠકમાં મોટો નિર્ણય લઇ શકાય છે.
જમ્મુ-કશ્મીર (jammu kashmir) માં ભારે ગરમાહટવાળા વાતાવરણ વચ્ચે સંસદ ભવન ઓફિસમાં ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક શરૂ છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ (amit shah) ની અધ્યક્ષતામાં શરૂ આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગાબા પણ હાજર છે.
દિલ્હીમાં પીએમ આવાસ પર આવતી કાલે એટલે કે સોમવારના રોજ સવારે 9:30 કલાકે કેબિનેટની બેઠક થશે. સૂત્રોના હવાલાથી એવા સમાચાર સામે આવ્યાં છે કે કેન્દ્ર સરકાર કેબિનેટની આ બેઠકમાં મોટો નિર્ણય લઇ શકાય છે. મોદી સરકારે કેબિનેટની આ બેઠક એવા સમયમાં બોલાવવામાં આવી છે કે જ્યારે જમ્મુ-કશ્મીરમાં એલર્ટને લઇને દેશભરમાં ઉગ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે.
કશ્મીરમાં હાલત હાલમાં તણાવગ્રસ્ત છે. સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમ્યાન સ્નાઇપર રાઇફલ મળી, જ્યાર બાદ યાત્રાને રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આતંકી ખતરાને ધ્યાને રાખીને તુરંત આ એડ્વાઇઝરી કરવામાં આવી હતી કે અમરનાથ યાત્રી અમરનાથ યાત્રા માર્ગમાં જ્યાં ક્યાંય પણ છે પરંતુ તે પોતાના ઘરો તરફ પરત ફરે, કેમ કે તેમના પર મોટો હુમલો થવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમિત શાહ વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા માટે કાશ્મીર પાર્ટીના કાર્યક્રમમાં શામેલ થશે. અમિત શાહ કાશ્મીર ઘાટીના અલગ-અલગ જિલ્લામાં કાર્યક્રર્તાઓની સાથે બેઠક કરશે, તો સભ્યતા અભિયાન માટે કાર્યક્રર્તાઓને વધારેમાં વધારે સભ્ય બનાવવા માટે પ્રેરિત કરશે.
અમિત શાહ કાશ્મીર પછી આ જ મહિનામાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે 2 દિવસ જમ્મૂ પ્રવાસે પણ જશે અને ત્યાં બૂથ ઇનચાર્જની બેઠકને સંબોધિત કરશે. સૂત્રોનુસાર, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કાશ્મીર ઘાટીમાં વધારેમાં વધારે વિધાનસભા સીટ જીતવા માટે રણનીતિ બનાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરની ઘાટીમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરવાથી મહબૂબા મુફ્તી સહિત ઘાટીના બીજી નેતાઓનું ઉંઘ ઉડાડી દીધી છે. તેઓને આશંકા છે કે ઘાટીમાં કંઇક મોટુ થવાનું છે. મહેબૂબા મુફ્તીએ આ અંગે રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી. મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે, અમારા રાજ્યપાલ સત્યાપાલ મલિકજીની સાથે મુલાકાત કરીને અફવાહોથી દૂર રહેવાનું અનુરોધ કર્યો, જેના કારણે ઘાટીમાં ડરની સ્થિતિ ઉભી ના થાય.