ગૃહમંત્રી અમિતશાહે આજે ગોવાના પ્રવાસે છે. જ્યા તેમણે એવું નિવેદન આપ્યું કે જો પાકિસ્તાન તેની હરકતો બંધ નહી કરે તો ફરી તેના પર સર્જિકલ સ્ટ્રાઈક કરીશું
ગૃહમંત્રી અમિતશાહ ગોવાના પ્રવાસે
ગોવા પહોચ્યા બાદ આપ્યું મોટું નિવેદન
ચૂંટણીની તૈયારીઓનું ગૃહમંત્રી શાહ કરશે નિરિક્ષણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે ગોવાની પ્રવાસે ગયા છે. જ્યા તેમણે રાષ્ટ્રીય ફોરેંસિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની આધારશીલા રાખી હતી. ત્યારબાદ તેમણે જનતાને સંબોધન આપતા જણાવ્યું હતું કે દેશની સીમાઓ પર હવે હુમલો સહન કરવામાં નહી આવે.
પાકિસ્તાનને આપી ચેતવણી
ઉપરાંત ગૃહમંત્રી શાહે કહ્યું કે જો પાકિસ્તાન તેની હરકતો બંધ નહી કરે અને કાશ્મિરમાં સામાન્ય નાગરિકોની હત્યાનો ખેલ પણ બંધ નહી કરે તો ત્યા ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી શકે છે. સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરતા શાહે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકથી તે સાબિત થઈ ગયું છે કે ભારત હવે કોઈ હુમલો સહન નહી કરે.
દેશ મનોહર પર્રિકરને હંમેશા યાદ રાખશે: અમિત શાહ
રાષ્ટ્રીય ફોરેંસિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના શિલાન્યાસ સમારોહમાં ગૃહમંત્રી અમિતશાહે સંબોધન આપતા એવું પણ કહ્યું કે દેશ મનોહર પર્રિકરની બે વસ્તુઓને હંમેશા યાદ રાખશે જેમા પહેલા તો તેમણે ગોવાને આગવી ઓળખ આપી હતી. બીજુ કે તેમણે ત્રણેય સેનાઓને વન રેંક અને વન પેંશન આપ્યું.
સર્જીકલ સ્ટ્રાઈક કરીને આપ્યો જડબાતોડ જવાબ
અમિતશાહે તેમના સંબોધનમાં કહ્યું કે પુંછમાં જ્યારે હુમલો થયો ત્યારે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરીને વિશ્વને જણાવી દીધું કે ભારતની સીમાઓ સાથે છેડછાડ ન કરવી જોઈએ. નરેન્દ્ર મોદી તેમજ મનોહર પર્રિકરના નેતૃત્વમાં પહેલી વાર ભારતે તેની સીમાની સુરક્ષાઓનું સન્માન કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું.
ચૂંટણીની તૈયારીઓનું કરશે નિરિક્ષણ
આપને જણાવી દઈએ કે આવતા વર્ષે ગોવામાં વિધાનસભાની ચૂંટણી છે. જેથી સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવાની સાથે અમિતશાહ ભાજપની તૈયારીઓ જોવા પણ ગોવા પહોચ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ અમિતશાહ પહેલા ભાજપની તૈયારીઓનું નિરિક્ષણ કરવા ગોવા પહોચ્યા હતા.
ધારાસભ્યો અને કાર્યકરો સાથે કરશે બેઠક
ઉલ્લેખનીય છે કે ગોવામાં દરેક પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા પણ ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ભાજપ ધારાસભ્યો અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને ચૂંટણીને લઈને રણનીતિ પણ તૈયાર કરવાનુ છે