કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નવી દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. થોડા દિવસોથી એઇમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. શ્વાસ લેવામાં તકલીફ આવ્યા બાદ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમણે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીને સારવાર બાદ એઇમ્સમાંથી અપાઇ રજા
શ્વાસ લેવામાં તકલીફ થતા એઇમ્સમાં દાખલ થયા હતા
થોડા દિવસો અગાઉ કોરોનાને માત આપી ચૂક્યા છે શાહ
થોડા દિવસો અગાઉ અમિત શાહ કોરોના સંક્રમિત થયા હતા જ્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
Union Home Minister Amit Shah (in file pic) discharged from AIIMS Delhi: Sources
He was discharged from the hospital after post-COVID care on August 30 and was admitted again for a complete medical checkup on September 13. pic.twitter.com/TLxd7KUzVX
કોવિડની સારવાર લીધા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતા એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહને ગત શનિવારે મોડી રાત્રે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોરોનાથી નેગેટિવ આવ્યા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી હતી જ્યાર બાદ તેઓ એઇમ્સમાં દાખલ થયા. એમ્સમાં ડૉક્ટરોની એક ટીમને તેમની સારવાર માટે રાખવામાં આવી. અમિત શાહને એઇમ્સમાં કોર્ડિયો ન્યૂરો ટૉવરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જણાવી દઇએ કે, ઓગસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. અંદાજિત બે અઠવાડિયામાં અમિત શાહે કોરોનાને માત આપી અને 14 ઓગસ્ટે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી અને તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી. બાદમાં શ્વાસ લેવામાં તકલીફ ને લઇને તેમને ફરી એઇમ્સમાં દાખલ થવું પડ્યું હતું.