કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીરમાં પૂરી સક્રિયતાથી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવાનો નિર્દેશ આપી દીધો છે.
સુરક્ષા દળોને લઈને અમિત શાહે યોજી મોટી બેઠક
શાહનો નિર્દેશ, જમ્મુ કાશ્મીરમાં પૂરી સક્રિયતાથી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવો
સરહદ પારની ઘૂસણખોરી અટકાવો
જમ્મુ કાશ્મીરમાં હવે આતંકવાદ વિરોધી અભિયાનમાં ઝડપ આવશે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો ખાતમો કરવા માટે હવે ઉચ્ચ સ્તરેથી આદેશ છૂટ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક મોટી બેઠક યોજી હતી. બેઠકમાં અમિત શાહે સુરક્ષા દળોને મોટા આદેશ આપ્યા હતા. બેઠકમાં ગૃહમંત્રી શાહે એવું જણાવ્યું કે સુરક્ષા દળો અને પોલીસે વધારે સક્રિયતાથી અને પૂરા સમન્વયથી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવું જોઈએ તથા જમ્મુ કાશ્મીરને સમૃદ્ધ અને શાંતિપ્રિય રાજ્ય બનાવવાનું પીએમ મોદીનું સપનું પુરુ કરવું જોઈએ.
Union Home Min Amit Shah directed security forces & police to conduct coordinated counter-terrorism operations pro-actively & said to fulfill PM Modi’s vision of a prosperous&peaceful J&K,security forces should ensure zero cross-border infiltration to wipe out terrorism in UT:MHA
જમ્મુ કાશ્મીરમાં માહોલ ખરાબ કરવા માગે છે આતંકવાદીઓ
એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે કે, અત્યાર સુધી દેખાતા સંકેતો જણાવે છે કે, જમ્મુ વિસ્તારમાં ટાર્ગેટ બનાવામા આવી શકે છે. ગત વર્ષે જૂનમાં મળેલા આઈઈડીને એક મંદિરમાં રાખવાનો હતો. પીએમની યાત્રાને આડા પાટે લઈ જવા માટે કોઈ પણ ચેક પોસ્ટ પર ફોર્સને ટાર્ગેટ કરી શકે છે. એ એકદમ સ્પષ્ટ છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠને છેલ્લા દોઢ વર્ષમાં જમ્મુ વિસ્તારમાં અસ્થિર કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, જ્યાં સુધી અમરનાથ તીર્થયાત્રીઓ માટે ખતરાનો વિષય છે. આ વર્ષે પંજાબની સરહદ પણ એક રીતે સંવેદનશીલ પોઈન્ટ છે.
ડ્રોન અને રેડિયો ફ્રીક્વેંસીની મદદથી સુરક્ષા
એક ટોચના અધિકારીએ જણાવ્યુ હતું કે, મોહાલીમાં ગુપ્તચર કાર્યાલયમાં હુમલો, રોકેટ લોન્ચર ઝડપાયા એ કોઈ સંયોગ નથી, આ આતંકીઓ દ્વારા પોતાના ખાલિસ્તાન, કાશ્મીર મોડલને એક્ટિવ કરવાનો પ્લાન છે. દુનિયાને એ બતાવવા માટે કે જમ્મુને ટાર્ગેટ કરવામા આવી રહ્યું છે. સમસ્યા ખાલી કશ્મીર નથી, પણ આખું જમ્મુ કાશ્મીર છે. તેથી રાજ્ય અને કેન્દ્રીય ફોર્સ ડ્રોનથી નજર રાખી, વાહનોનું ચેકીંગ, રેડિયો ફ્રીક્વેંસીથી ઓળખાણ, અધિક સૈનિકોની તૈનાતી વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે.