કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે રાજસ્થાનના જોધપુરમાં નાગરિકતા સંશોધન કાયદાની તરફેણમાં એક જાહેર સભા યોજી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓ પર જોરદાર પ્રહાર કર્યા હતા.
અમિત શાહનું રાજસ્થાનમાં સંબોધન
CAA ને સમર્થન કરવા કરી અપીલ
રાહુલ ગાંધી સહિત વિપક્ષોને ફેંક્યો પડકાર
અમિત શાહે એવાન કર્યું હતું કે જેટલો ભ્રમ ફેલાવવો હોય તે ફેલાવી લો પરંતુ ભાજપ આ કાયદા અંગે એક ઇંચ પણ પાછું નહીં હટે. કેન્દ્રીય ગૃહ મંત્રી કહ્યું કે જો રાહુલ ગાંધીએ કાયદો વાંચ્યો છે, તો તેઓ તેમની સાથે દલીલ કરી શકે છે.
Union Home Minister Amit Shah in Jodhpur, Rajasthan on #CitizenshipAmendmentAct: Rahul baba kanoon padha hai, toh kahin par bhi charcha karne ke liye aajao. Nahi padha hai toh main Italian mein bhi iska anuvaad karke apko bhej deta hun, usko padh lijiye. pic.twitter.com/5QKN3YdyW6
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ, મમતા દીદી, એસપી, બસપા, કેજરીવાલ એન્ડ કંપની બધા આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, હું બધાને પડકાર ફેંકું છું કે તે સાબિત કરવા માટે કે તે લઘુમતીને નુકસાન થશે. અમિત શાહે કહ્યું કે રાહુલ બાબા, જો તમે કાયદો વાંચ્યો છે તો તેની ચર્ચા કરવા આવો. જો તમે તે વાંચ્યું નથી, તો પછી હું તમને ઇટાલીમાં અનુવાદ મોકલવા માટે તૈયાર છું.
અમિત શાહે CAA ને સમર્થન કરવા આપ્યો નંબર
અમિત શાહે કહ્યું કે, તમામ પાર્ટીઓ એક થઇ જાય, ભાજપ CAA પર એક ઇંચ પણ પરત નહીં ફરે. જેટલો પણ ભ્રમ ફેલાવવો છે તે ફેલાવી લોય પરંતુ અમે આ કાયદાને લઇને એક ડગલું પરત નહીં ફરીએ. જાહેરસભામાં અમિત શાહે લોકોને નંબર આપ્યો અને કહ્યું કે, તેના પર મિસકોલ આપીને CAA ને સમર્થન કરો. અમિત શાહ દ્વારા આપવામાં આવેલ નંબર-8866288662.
ભાજપ દ્વારા હાથ ધરાયું છે લોકજાગૃતિ અભિયાન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જોધપુરમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં લોક જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું છે. જેને વોટબેંકની રાજનીતિ કરવાની ટેવ છે તે તેનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ સીએએ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું, જેના કારણે દેશના હજારો યુવાનો ગેરમાર્ગે દોરાયા છે. તેથી જ અમે સીએએ વિશે જનજાગૃતિ કરી રહ્યા છીએ.
મોદી સરકારે નિભાવ્યો પોતાનો વાયદો
ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાન-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી જેટલા હિન્દુઓ, જૈનો, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તીઓ અને પારસી લઘુમતીઓ આવ્યું છે તેમની કોઇએ ચિંતા કરી નથી પરંતુ મોદી સરકારે પોતાના વાયદાને નિભાવ્યો છે.