બીજેપી પૂર્વ ચીફ અમિત શાહે ગૃહ મંત્રાલયનું પદભાર સંભાળતા જ તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. સૂત્રો અનુસાર ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કશ્મીરમાં પુનઃસીમાંકન આયોગનાં ગઠન પર વિચાર કરી રહ્યાં છે. સૂબામાં અંતિમ વખતે 1995માં પુનઃસીમાંકન કરવામાં આવ્યું હતું.
ન્યૂ દિલ્હીઃ બીજેપી પૂર્વ ચીફ અમિત શાહે ગૃહ મંત્રાલયનું પદભાર સંભાળતા જ તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. સૂત્રો અનુસાર ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કશ્મીરમાં પુનઃસીમાંકન આયોગનાં ગઠન પર વિચાર કરી રહ્યાં છે. સૂબામાં અંતિમ વખતે 1995માં પુનઃસીમાંકન કરવામાં આવ્યું હતું. જ્યારે ગવર્નર જગમોહનનાં આદેશ પર જમ્મુ-કશ્મીરમાં 87 સીટોનું ગઠન કરવામાં આવ્યું. જમ્મુ-કશ્મીર વિધાનસભામાં કુલ 111 સીટો છે પરંતુ 24 સીટોને ખાલી રાખવામાં આવેલ છે. જમ્મુ-કશ્મીરનાં સંવિધાનનાં સેક્શન 47 અનુસાર, આ 24 સીટોને પાકિસ્તાન અધિકૃત કશ્મીરને માટે ખાલી છોડવામાં આવેલ છે અને બાકી બચેલ 87 સીટો પર જ ચૂંટણી થાય છે. તમને જણાવી દઇએ કે જમ્મુ-કશ્મીરનું અલગ જ એક સંવિધાન છે.
આ પુનઃસીમાંકન બાદ કશ્મીર, જમ્મુ અને લદાખની બેઠકમાં ફેરફાર થઇ શકે છે. જમ્મૂ કશ્મીરમાં 370ની કલમને લઇને કેન્દ્ર સરકાર આ નીતિ અપનાવી શકે છે. જમ્મૂ કશ્મીર વિધાનસભામાં કુલ 87 બેઠકો છે. જેમાં કશ્મીર વેલીમાં 46, જમ્મુમાં 37 અને લદાખમાં 4 બેઠકો છે. જમ્મૂ અને લદાખની સીટ વેલીની સીટ સામે ઓછી હોવાથી સરકારે કવાયત હાથધરી છે. જો કશ્મીર વેલીમાં પુન:સીમાંકન કરવામાં આવે તો કલમ 370 હટાવવામાં સરકારને ફાયદો મળી શકે તેમ છે.
રાજ્યનાં સંવિધાન અનુસાર દર 10 વર્ષ બાદ નિર્વાચન ક્ષેત્રોનું પુનઃસીમાંકન કરવામાં આવવું જોઇએ. આ જ રીતે જમ્મુ-કશ્મીરમાં સીટોનું પુનઃસીમાંકન 2005માં કરવાનું હતું પરંતુ ફારૂક અબ્દુલ્લા સરકારે 2002માં આની પર 2026 સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. અબ્દુલ્લા સરકારે જમ્મુ-કશ્મીર જનપ્રતિનિધિત્વ કાયદો, 1957 અને જમ્મુ-કશ્મીરનાં સંવિધાનમાં ફેરફાર કરતા આ નિર્ણય લીધો હતો.
જાણો, કેવી છે જમ્મુ-કશ્મીર વિધાનસભાની સંરચનાઃ
2011ની જનગણના અનુસાર સૂબાનાં જમ્મુ સંભાગની આબાદી 53,78,538 છે અને આ પ્રાંતની 42.89 ટકા આબાદી છે. પ્રાંતનાં 25.93 ટકા ક્ષેત્રફળ જમ્મુ સંભાગને અંતર્ગત આવે છે અને વિધાનસભાની કુલ 37 સીટો અહીંથી પસંદ કરવામાં આવે છે. બીજી બાજુ કશ્મીર ઘાટીની આબાદી 68,88,475 છે અને આ પ્રાંતની 54.93 ટકાનો ભાગ છે. અહીંથી કુલ 46 ધારાસભ્ય પસંદ કરવામાં આવે છે. આ સિવાય લદ્દાખમાં 4 સીટો છે અને અહીંથી વિધાનસભાને માટે 4 ધારાસભ્યો પસંદ કરવામાં આવે છે.
SC-ST આરક્ષણ માટે પુનઃસીમાંકન થશે?
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, કેન્દ્ર સરકાર અહીં પુનઃસીમાંકન પર જોર આપી રહી છે જેથી એસસી અને એસટી સમુદાય માટે સીટોનાં આરક્ષણની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી શકે. ઘાટીની કોઇ પણ સીટ પર આરક્ષણ નથી પરંતુ અહીં 11 ટકા ગુર્જર બકરવાલ અને ગાદી જનજાતિ સમુદાયનાં લોકોની આબાદી છે. જમ્મુ સંભાગમાં 7 સીટો એસસી માટે રિઝર્વ છે, આનું પણ રોટેશન નથી થયું. એવામાં નવી રીતે પુનઃસીમાંકનથી સામાજિક સમીકરણો પર પણ પ્રભાવ પડવાની સંભાવના છે.