પશ્ચિમ બંગાળમાં અમિત શાહે પ્રચાર સમયે CAAને લઈને આપ્યું મોટુ નિવેદન.
CAAને લઈને અમિત શાહે આપ્યું મોટુ નિવેદન
પશ્ચિમ બંગાળના પ્રચાર સમયે કહ્યું કે CAA લાગૂ કરીશું
શરણાર્થીઓને અપાશે નાગરિકતા
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA કેન્દ્ર સરકારે સંસદમાં પાસ કરાવ્યો છે અને અમે તેને લાગૂ કરીશું. દેશભરમાં વેક્સીનેશનનું કામ પૂરું થશે પછી આ કાયદો લાગૂ કરાશે. આ કામ ભાજપ સરકાર જ કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં કોલકત્તામાં આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળથી દેશની આંતરરાષ્ટ્રીય સીમા મળે છે. બંગાળમાં એવી સરકાર જોઈએ છે જે ઘૂસપેઠીઓને વોટબેંક ના જુએ.
CAAને લઈને કહ્યું કે આ કામ અમારે કરવાનું છે
પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરી રહેલા અમિત શાહે કહ્યું કે ખબર નહીં શા માટે મમતા દીદી શ્રી રામના નારાથી ગુસ્સે થાય છે. CAAના પ્રશ્ન પર શાહે કહ્યું કે હવે મમતા બેનર્જીને CAA લાગૂ કરવાનો નથી એ કામ અમારે કરવાનું છે. અમિત શાહે કહ્યું કે એપ્રિલના બાદ CAA અમે લાગૂ કરીશું. સરકાર બદલાઈ જશે આ કામ પણ અમે જ કરીશું. અમિત શાહે કહ્યું કે CAA દેશની સંસદ દ્વારા બનાવાયેલો કાયદો છે અને તેને લાગૂ કરાશે જ. શરણાર્થીઓને નાગરિકતા અપાશે.
हम CAA लेकर आए, बीच में कोरोना आ गया। ममता दीदी कहने लगी कि ये झूठा वादा है.. हम जो कहते हैं वो करते हैं। जैसी ही ये वैक्सीनेशन का काम समाप्त होता है, जैसे ही कोरोना से मुक्ति मिलती है, आप सभी को नागरिकता देने का काम भाजपा सरकार करेगी: अमित शाह, ठाकुरनगर (पश्चिम बंगाल) में pic.twitter.com/Gv4b72sI6O
ગૃહમંત્રીએ દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપ 200થી વધારે સીટો લાવી શકે છે. શાહે કહ્યું કે બંગાળમાં બંગાળના ધરતીપુત્ર જ ભાજપના મુખ્યમંત્રી બનશે.
भारतीय जनता पार्टी हिंसा का दौर रोककर विकास का नया दौर पश्चिम बंगाल में शुरू करने जा रही है: केंद्रीय गृह मंत्री अमित शाह, ठाकुरनगर (पश्चिम बंगाल) में pic.twitter.com/ZNmhSMwqZN
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પરિવર્તન યાત્રાની પાછળ ભાજપનો ઉદ્દેશ્ય ફક્ત મુખ્યમંત્રી, સત્તા કે કોઈ મંત્રીને બદલવાનો નથી. ભાજપનો એજન્ડા બંગાળના જનમાનસની અંદર જે પણ ચાલી રહ્યું છે તેને રોકવા અને પરિવર્તિત કરવાની ઈચ્છા જગાડવાનો છે. સ્થિતિમાં પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે જન જનની અંદર ઈચ્છા અને આકાંક્ષાઓ જાગે. લોકતાંત્રિક રીતે જે ખોટું છે તેને સુધારવામાં આવે.