ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હું નહીં પણ જવાહરલાલ નહેરુ ટાગોરની ખુરશી પર બેઠા હતા.
અમિત શાહ શાંતિ નિકેતનમાં ટાગોરની ખુરશી પર બેઠા હતા તેવો કોંગ્રેસનો આરોપ હતો
હું ટાગોરની ખુરશી પર બારી પર બેઠો હતો-અમિત શાહ
શાહે નહેરુ અને રાજીવ ગાંધીની તસવીર દેખાડીને દાવો કર્યો કે આ બન્ને નેતાઓ ટાગોરના સોફા પર બેઠા હતા.
રવિન્દ્રનાથ ટાગોરના અપમાનના કોંગ્રેસ નેતા અધીર રંજનના આરોપનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં એવું જણાવ્યું કે મારી પર ટાગોરના અપમાનનો આરોપ ખોટો છે અને ખોટો આરોપ લગાડવો કોંગ્રેસ પાર્ટીની માનસિકતા છે. ઈતિહાસને ટાંકતા શાહે કહ્યું કે હું નહીં પણ જવાહરલાલ નહેરુ ટાગોરની ખુરશી પર બેઠા હતા.
ટાગોરની ખુરશી પર નહીં બારી પર બેઠો હતો
અમિત શાહે પોતાની શાંતિ નિકેતન યાત્રા અંગે વિપક્ષી નેતા અધીર રંજન ચોધરીની ટીપ્પણીઓ પર ગૃહમાં ચોખવટ કરી. શાહે કહ્યું કે હું ક્યારેય પણ ટાગોરની ખુરશી પર બેઠો નથી પરંતુ એ બારી પર બેઠો હતો કે જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, પ્રતિભા પાટીલ અને બાંગ્લાદેશના વડાપ્રધાન સહિત ઘણા નેતાઓ બેઠા હતા.
નહેરુ અને રાજીવ ગાંધી ટાગોરના સોફા પર બેઠા હતા.
શાહે નહેરુ અને રાજીવ ગાંધીની તસવીર દેખાડીને દાવો કર્યો કે આ બન્ને નેતાઓ ટાગોરના સોફા પર બેઠા હતા. અધીર રંજન ચોધરી પર ઉગ્ર હુમલો કરતા શાહે કહ્યું કે સોશિયલ મીડિયા પરથી ખોટી ખબરો લઈને ગૃહમાં રજૂ કરવી અનુચિત છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી મોટું નુકસાન થયું છે. આ કુદરતી તબાહીએ જાન અને માલ બંનેને ઉંડો આઘાત પહોંચ્યો છે. રાજ્ય સરકારથી લઇને કેન્દ્ર સરકાર સુધી આ ઘટના પછી સંપૂર્ણ સક્રિયતાની સાથે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ દૂર્ઘટના પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે.
અમિત શાહે કહ્યું કે પૂરથી 13.2 મેગાવટની જળ વિદ્યુત પરિયોજના પુરમાં તણાઇ ગઇ છે. આ અચાનક આવેલ પૂરમાં તપોવનની NTPCની 250 મેગાવોટની જળ વિદ્યુત પરિયોજનાને પણ નુકસાન પહોંચ્યું છે. ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે પૂરથી નિચાણવાળા વિસ્તારમાં હાલ કોઇ ખતરો નથી. આ સાથે જળસ્તરમાં પણ ઘટાડો થયો છે.