જસદણની જનસભામાં ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતને તરસ્યું રાખ્યું છે અને હવે મેધા પાટકર સાથે પદયાત્રા કરે છે
ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
'કોંગ્રેસે ગુજરાતને તરસ્યું રાખ્યું'
'મેધા પાટકર સાથે કોંગ્રેસ પદયાત્રા કરે છે'
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનની તારીખને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ પોતાનો ગુજરાત ગઢ ગુમાવવા માગતો નથી તેના માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને જે માટે પ્રચારની કમાન વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંભાળી છે. આજે જસદણમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જનસભાને સંબોધી હતી અને જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.
અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
જસદણની જનસભામાં અમિત શાહે કોંગ્રેસ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે અનેક વર્ષો સુધી શાસન કર્યુ પરંતુ સૌરાષ્ટ્ર તરસ્યુ જ રહ્યું હતું તેમણે કહ્યું કે, જે સરદાર સરોવર ડેમનું ભૂમિ પૂજન નહેરુએ કર્યુ તેનો લાભ PM મોદીના સમયમાં મળ્યો છે તેમણે કહ્યું કે, પહેલા ગાંધીનગરથી પાણીની ટ્રેન મોકલવી પડતી હતી અને નર્મદાના વિરોધી મેધા પાટકર સાથે રાહુલ ગાંધી પદયાત્રા કરે છે તેમણે પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતની જનતાને જવાબ આપવો પડશે અને કોંગ્રેસ ગુજરાતની જનતાના ઘા પર મીઠું નાખવાનું કામ કરે છે. સૌની યોજનાથી ભાજપ સરકારે સૌરાષ્ટ્રમાં ખૂણે-ખૂણે પાણી પહોંચાડ્યું તેમ શાહે જણાવ્યું હતું. આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની સરકારે સૌરાષ્ટ્રમાંથી પાણીની સમસ્યા દૂર કરી છે અને કોંગ્રેસના સમયમાં 24 કલાક વીજળી નહતી મળતી અને ભાજપની સરકારે 24 કલાક વીજળી આપી છે. તેમણે કહ્યું કે, તમારો એક મત ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે.
'મેધા પાટકર સાથે કોંગ્રેસ પદયાત્રા કરે છે'
તેમણે કહ્યું કે, જસદણમાં કુવરજીભાઈનો કામ બોલે છે. તેમણે કહ્યું કે, તમારો એક મત ગુજરાતનો ભવિષ્ય નક્કી કરવાનો છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં પાણી સ્થિતી જોઈ છે પરંતુ ભાજપની સરકારે એ સ્થિતી દૂર કરી છે. તેમણે ઉમેર્યું કે, ભાજપ સરકારે પાણીના તળ ઉંચા લાવવાનું કામ કર્યું છે અને નર્મદા યોજનાને રોકવાનું કામ કોંગ્રેસીઓએ કર્યું છે અને હવે મેઘા પાટકરને સાથે લઈ પત્ર યાત્રી કરી રહ્યાં છે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસીઓ મેઘા પાટકરને મળે છે પરંતું ઝાડુ વાળા ભાઈએ તો 2014માં ટિકિટ પણ આપી દીધી હતી પરંતું એટલું સારૂ કર્યું કે, આ વખતે તેમને ગુજરાતમાં ના લાવ્યાં.
નરેન્દ્રભાઈ જે કામ કર્યું છે તે 70 વર્ષમાં કોંગ્રેસે કર્યું નથી:અમિત શાહ
સૌરાષ્ટ્રની તરસ ભાગવાનું કામ ભાજપે સરકારે કર્યું છે. તેમણે કહ્યું કે, પહેલા ગામડામાં વીજળી મળતી ન હતી પરંતું નરેન્દ્રભાઈએ 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ક્યું કે, અત્યારે પાણીનો રેલો જાય તેવા સારા રસ્તા બની ગયા છે. તેમણે પ્રહાર કરતા જણાવ્યું કે, નરેન્દ્રભાઈ જે કામ કર્યું છે તે 70 વર્ષમાં કોંગ્રેસે કર્યું નથી. તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈએ કોરોના સામે સુરક્ષા અપાવી છે કોરોનાથી દેશને સુરક્ષા અપાવવાનું કામ ભાજપે કર્યું છે તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી કહેતા હતા કે, કોઈ રસી ન મુકાવતા આ તો મોદી ટીકો છે અને પછી પોતે જ ગુમચૂપ રીતે જઈ મુકાવી આવ્યાં હતાં. તેમણે કહ્યું કે, આ કોંગ્રેસ કોરોનામાં પણ રાજકારણ રમવાનું કામ કરે છે.