૨૯ ઓગસ્ટે કોરોના નેગેટિવ આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ફરી અમિત શાહને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
કોરોના નેગેટિવ આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતા શનિવારે મોડી રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.