જો તમે હોમ લોન કે ઑટો લોન લેવા માટે વિચારી રહ્યા છો તો માહિતી તમારા માટે ખૂબ જરૂરી છે. કારણ કે 1 એપ્રિલ 2019થી હોમ અને ઑટો લોન પર લાગતા વ્યાજની વ્યવસ્થા બદલાવાની છે. બેંક તરફથી અત્યાર સુધી વધેલા દરો જારી કરવામાં આવ્યા નથી.
તમને જણાવી દઇએ કે એપ્રિલમાં આરબીઆઇ રેપો રેટને ઓછો કરી શકે છે, ત્યારબાદ બેંકોએ પણ પોતાનો વ્યાજ દર ઘટાડવો પડશે. આ વ્યવસ્થા નાના વેપારીઓને આપવામાં આવતી લોન પર પણ લાગૂ પડશે. બેંકના વ્યાજ દર ઓછા કરવાથી દેશની જનતાને ખૂબ રાહત મળશે.
એક્સપર્ટનું માનવું છે કે ફ્લોટિંગ રેટ લોન માટે એક્સટર્નલ બેંન્ચમાર્ક માટે RBIનો પ્રસ્તાવ ખૂબ સારો છે. એનાથી MSME સેક્ટરને ફાયદો થશે સાથે સાથે ફ્લોટિંગ રેટ પર હોમ અને ઑટો લોન લેનાર ગ્રાહકોને પણ ફાયદો મળશે. તમને જણાવી દઇએ કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાની પોલિસીમાં આ નિયમ બદલી નાંખ્યો છે.
આરબીઆઇએ જાણકારી આપતા જણાવ્યું કે હવે આ લોન લેનાર લોકો માટે વિભિન્ન કેટેગરીનો ફ્લોટિંગ વ્યાજ દર હવે એક્સટર્નલ બેન્ચમાર્કથી લિંક્ડ હશે. આ સાથે જ RBIએ એમસીએલઆરને પણ રિપ્લેસ કરવા માટે વિચાર કર્યો છે. તમને જણાવી દઇએ કે બેંકે કહ્યું કે એને અમે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે રિપ્લેસ કરીશું.
આ સાથે જ RBIએ ડેવલપમેન્ટ એન્ડ રેગુલેટરી પોલિસી માટે જણાવતા કહ્યું કે 1 એપ્રિલ 2019થી બેંક હાલ ઇન્ટરનલ બેન્ચમાર્ક સિસ્ટમ જેમ કે પ્રાઇમ લેન્ડિંગ રેટ, બેસ રેટ, માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડ હેસ્ટ લેન્ડિંગ રેટની જગ્યા એક્સટર્નલ બેન્ચમાર્કસનો ઉપયોગ કરશે. RBIએ આ નિર્ણયથી નીતિગત દરોમાં કાપ થશે, જેની સીધી અસર ગ્રાહકોને મળશે.
બેંક કેવી રીતે વ્યાજ દરોને નક્કી કરશે.
બેંકોની પાસે સૌથી પહેલા વિકલ્પ રિઝર્વ બેંક દ્વારા જાહેર રેપો રેટના આધાર પર દર નક્કી કરવાનો હશે.
આ ઉપરાંત બેંક 91 દિવસો અથવા 182 દિવસની સમય મર્યાદા વાળા સરકારી બૉન્ડ પર જેટલું રિટર્ન મળે છે એનો વ્યાજ દર પણ એટલો હશે.
આ ઉપરાંત બેંક ત્રણ સંસ્થાઓથી મળીને બનેલા એફબીઆઇએલ દ્વારા નક્કી માનક પર દર નક્કી કરે. તમને જણાવી જઇએ કે સરકારી બૉન્ડ પર જે રિટર્ન આપવામાં આવે છે કે એ પણ એફબીઆઇએલ દ્વારા જ નક્કી કરવામાં આવે છે.