ઘર ખરીદવાનું મન બનાવી લીધું છે તો તમારા માટે ખુશખબર છે
હોમ લોનના વ્યાજ દરોને ઘટાડીને 6.66 ટકા કરી દીધો
લોન પર વ્યાજ રેટને ઘટાડીને ઓલ ટાઈમ લો કરી દીધો
લોનનો પહેલો હપ્તો 30 સપ્ટેમ્બર પહેલા હોવો જોઈએ
હાઉસિંગ લોન આપતી કંપની એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે મોટી જાહારાત કરી છે. કંપનીએ કહ્યું છે કે તેમણે હોમ લોનના વ્યાજ દરોને ઘટાડીને 6.66 ટકા કરી દીધો છે. એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સે 50 લાખ સુધીના લોન પર વ્યાજ રેટને ઘટાડીને ઓલ ટાઈમ લો કરી દીધો છે. જોકે તેનો લાભ તમે અમુક સમય સુધી જ ઉઠાવી શકો છો. એલઆઈસી એચએફએલના નિવેદન અનુસાર, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડની આ સ્કીમ 31 ઓગસ્ટ 2021 સુધી લાગુ રહેશે. શરત અનુસાર, લોનનો પહેલો હપ્તો 30 સપ્ટેમ્બર પહેલા હોવો જોઈએ.
જાણો શું કહ્યું કંપનીએ?
કંપનીએ કહ્યું કે 6.66 ટકા પર, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે 30 વર્ષથી વધુ સમયની સાથે આવાસ વ્યાજ પર પોતાનો સૌથી ઓછો વ્યાજ લોન્ચ કર્યો છે. એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સના CEO વાય વિશ્વનાથ ગૌડ જણાવે છે કે અમે કોરોના મહામારીના કારણે આવા વ્યાજદર લોન્ચ કરવા ઈચ્છીએ છીએ જેનાથી કુલ ધારણાને સુધારવામાં મદદ મળે અને વધુ લોકો પોતાના ઘરના સપનાને પૂરા કરી શકે. અમે આશા રાખીએ છીએ કે વ્યાજમાં આ છૂટ છાટથી ગ્રાહકોનો ભરોશો વધશે.
ઘરે બેઠા કરો લોન માટે અરજી
કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા હોમવાય એપ ડિજિટલ રૂપથી હોમ લોનની અરજી કરવા અને ઓનલાઈન અરજીની સુવિધા આપે છે. ગ્રાહક એલઆઈસી એચએફએલ કાર્યાલયોમાં પોતાની અરજીઓને ટ્રેક કરી શકે છે. એલઆઈસી એચએફએલ હોમલોન એપનો લાભ ઉઠાવીને પોતાના ગ્રાહકોને ઘર ઘર સેવા આપે છે.