કોરોના વાયરસને પગલે દરેક દેશ એવા પ્રયાસો કરી રહ્યું છે કે તેઓ કોરોનાને ફેલાતો અટકાવી શકે. વિશ્વના 4 અબજ લોકો ઘરોમાં કેદ છે. 90 દેશોમાં ક્યાંક સંપૂર્ણ તો ક્યાંક આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને 700 વર્ષ પછી બંધ કરવામાં આવ્યું છે.
જેરુસલેમમાં છે ભગવાન ઈસુ ખિસ્તની કબર
આ ચર્ચમાં ઈસુના પાર્થિવ દેહને દફનાવાયો છે
700 વર્ષ પછી ફરી બંધ થયુ
કોરોના વાયરસને કારણે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને 700 વર્ષ બાદ બંધ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ઈસુ ખિસ્તને અહીં સુળીએ ચઢાવવામાં આવ્યા હતા. તેમજ તેમના પાર્થિવ દેહને અહીં જ દફનાવવામાં આવ્યા હતા.
આ કારણે આ પવિત્ર સ્થળ સાથે ઘણી માન્યતા છે. આ પહેલા આ ચર્ચને 1349માં બંધ કરવામાં આવ્યું હતુ. જ્યારે યુરોપમાં બ્લેક પ્લેગ ફેલાયો હતો.
કોરોના વાયરસને વધતા કહેરે રોકવા માટે દુનિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દુનિયાના મંદિર- મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મક્કા મદિનાની હજયાત્રા પણ આ વર્ષે રદ્દ કરવામાં આવી છે.