જાણીતા ફેશન ડિઝાઈનર અને ક્રિએટિવ ડાયરેક્ટર વર્જીલ એબ્લોહનું નિધન થયું છે.
વર્જીલ એબ્લોહનું નિધન
શોકમગ્ન થયો પરિવાર અને બોલાવૂડ
દુર્લભ કેન્સરની બીમારીથી પીડાતા હતા વર્જીલ એબ્લોહ
કેન્સર સામે લાંબી લડાઈ લડ્યા બાદ તેમણે 41 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વર્જિલ એબ્લોહ(Virgil Abloh death) અમેરિકાના શ્રેષ્ઠ ફેશન ડિઝાઇનર્સમાંના એક હતા. તેમના નિધનની જાણકારી બાદ માત્ર હોલીવુડ જ નહી પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ આઘાતમાં છે. ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાથી લઈને મલાઈકા અરોરા સુધી, ઘણા બોલિવૂડ સેલેબ્સે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
દુર્લભ કેન્સરની બીમારીથી પીડાતા હતા વર્જીલ એબ્લોહ
વર્જિલ એબ્લોહ(Virgil Abloh) લાંબા સમયથી કાર્ડિયાક એન્જીયોસારકોમા નામના દુર્લભ કેન્સરની લડાઈ લડી રહ્યા હતા અને રવિવારે તેઓ આ લડાઈ હારી ગયા હતા. તેઓ લૂઈસ વીટન બ્રાન્ડ માટે મેન્સવેરના કલાત્મક નિર્દેશક હતા. લક્ઝરી સમૂહ LVMH (લુઈસ વુટોન મોએટ હેનેસી) અને એબ્લોહના પોતાના ઓફ-વ્હાઈટ લેબલે એબ્લોહના મૃત્યુની જાણ કરી. ઓફ-વ્હાઈટ લેબલની સ્થાપના એબ્લોહ દ્વારા 2013 માં કરવામાં આવી હતી. તેમના નિધન બાદ ઘણા મોટા સ્ટાર્સ તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
સેલેબ્સ ગમમાં ડૂબ્યા
કરણ જોહરે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં વર્જિલ એબ્લોહની એક તસવીર શેર કરી હતી અને લખ્યું કે, આ માત્ર દિલ તોડનારું છે! RIP... ખૂબ જ પ્રભાવશાળી ફેશન ફોર્સ..તને ખાસ યાદ કરવામાં આવશે.
તો પ્રિયંકા ચોપરા તસવીર શેર કરીને લખ્યું, ખૂબ જલ્દી ચાલ્યા ગયા
મલાઈકા અરોરાએ પણ ડિઝાઈનરની તસવીર શેર કર્યા બાદ દિલથી તૂટેલા ઈમોજી સાથે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
પરિવાર દ્વારા જાહેર કરાયું નિવેદન
પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019માં કેન્સરનું નિદાન થયા બાદ તેણે દુનિયાને જાણ કર્યા વિના એકલા જ તેની સામે લડવાનું નક્કી કર્યું, ઘણી પડકારજનક સારવારોમાંથી પસાર થયો… તેમજ ફેશનની દુનિયામાં તેનું કામ ચાલુ રાખ્યું. 2018 માં, એબ્લોહ ફ્રેન્ચ ડિઝાઇન હાઉસના ઇતિહાસમાં પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા જેણે લૂઇસ વીટન ખાતે પુરુષોના વસ્ત્રો ડિઝાઇન કર્યા હતા.