હોળીની તિથિને લઈને લોકો વચ્ચે ઘણી મુંજવણ છે, હોળીકા દહન આજે કરવું કે કાલે એ વાત પર હજુ ઘણા લોકો વિચારણા કરી રહ્યા છે.
હોળીની તિથિને લઈને લોકો વચ્ચે ઘણી મુંજવણ
હોળીકા દહન આજે કરવું કે કાલે?
મંગળવારના દિવસે સૂર્યાસ્ત પહેલા જ પૂનમ પૂરી થઈ જાય છે
હોળી, રંગોનો તહેવાર, સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ, ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળમાં હોળીકા દહન થાય છે અને તેના બીજા દિવસે એટલેકે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાએ હોળી રમાય છે. એવામાં હોળીની તિથિને લઈને લોકો વચ્ચે ઘણી મુંજવણ છે, હોળીકા દહન આજે કરવું કે કાલે એ વાત પર હજુ ઘણા લોકો વિચારણા કરી રહ્યા છે.
હોળીકા દહન આજે કરવું કે કાલે?
ઘણા લોકો આજે તો ઘણા આવતીકાલે હોળીકાદહન કરવાના છે. એવામાં જ્યોતિષી મુજબ હોળી રાતનો તહેવાર ગણવામાં આવે છે અને હોળીની રાતરેપુનમ હોવી જરૂરી છે. જો આપણે પૂર્ણિમાની તારીખવિશે વાત કરીએ તો 06 માર્ચે સાંજે 04:17 વાગ્યે શરૂ થશે અને 07 માર્ચે સાંજે 06:09 વાગ્યે સમાપ્ત થશે અને 6:53 સુધી સૂર્યાસ્ત થઈ જાય છે એટલે કે મંગળવારના દિવસે સૂર્યાસ્ત પહેલા જ પૂનમ પૂરી થઈ જાય છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ સાથે 6 માર્ચે ભદ્રા સાંજે 04.17 વાગ્યે શરૂ થશે, જે 7 માર્ચના રોજ સવારે 5.15 વાગ્યા સુધી ચાલશે. કારણ કે હોળીકા દહન ભદ્રાના સમયગાળા દરમિયાન થતું નથી. જો આ સમયગાળા દરમિયાન હોળીકા દહન કરવામાં આવે તો તેની ખૂબ જ નકારાત્મક અસર થાય છે. તેથી જ તારીખની ભૂમિકા મહત્વની બની જાય છે.
આ વાત પર જ્યોતિષના જાણકાર કહે છે કે સોમવારે આવતી ભદ્રા મંગલકારી ગણવામાં આવે છે. એટલે ઘણા સ્થળોએ હોળીકા દહન આજે કરવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે ગુજરાતનાં મોટા મંદિરોમાં જેવા કે ડાકોર, દ્વારકા, સોમનાથ, ચોટીલાનાં મંદિરોમાં આજે એટવે 6 માર્ચના રોજ હોળીકા દહન કરવામાં આવશે છે. જ્યારે અમદાવાદના જગન્નાથ મંદિર અને સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવતીકાલે એટલે સાતમી માર્ચના રોજ હોળિકા દહન કરવામાં આવશે.