હોળીના આઠ દિવસ પહેલા થનારા હોળાષ્ટક શરૂ થયા છે, એવામાં હવે હોળીનો તહેવાર આવવામાં થોડા દિવસ બાકી છે. હોળીના એક દિવસ પહેલા એટલેકે ફાલ્ગુન મહિનાની પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. જ્યારે તેના બીજા દિવસે ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિના દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે.
હોલિકા દહનને લઇને અનેક પ્રકારની પૌરાણિક કથાઓ
હોલિકા દહનના દિવસે ભૂલથી પણ આ કામ ના કરતા
નહીંતર તમારા જીવનમાં આવશે અનેક મુશ્કેલીઓ
પૌરાણિક કથા
હોલીકા દહનને લઇને ઘણા પ્રકારની પૌરાણિક કથાઓ છે. માનવામાં આવે છે કે હિરણ્યકશ્યપનો મોટો પુત્ર પહ્લાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પિતાએ ઘણી વખત કહ્યું હોવા છતાં પહ્લાદ વિષ્ણુની ભક્તિ કરતો હતો. દૈત્ય પુત્ર હોવા છતાં નારદ મુનિની શિક્ષાને કારણે પહ્લાદ મહાન નારાયણનો પરમ ભક્ત બન્યો. અસુરોના અધિપતિ હિરણ્યકશ્યપે તેના પુત્રને ઘણી વખત મારવાના પ્રયાસ કર્યા. પરંતુ સ્વયં નારાયણ તેની રક્ષા કરતા હતા અને તેના ભક્તનો વાળ વાંકો થવા દેતા નહોતા. અસુર રાજાની બહેન હોલિકાને ભગવાન શંકર પાસેથી એવી ચાદર મળી હતી. જેની ઓઢીને બેસવાથી અગ્નિ તેને બાળી શકતી નહોતી. હોલિકા આ ચાદરને ઓઢીને પહ્લાદને ખોળામાં બેસાડીને ચિતા પર બેસી ગઇ હતી. દેવયોગના કારણે ચાદર ઉડીને પહ્લાદની ઉપર આવી ગઇ. જેનાથી પહ્લાદનો જીવ બચી ગયો અને હોલિકા બળીને ભષ્મ થઇ ગઇ.
હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ના કરો આ કામ
હોલિકા દહનના દિવસે કાળા રંગના કપડા ના પહેરવા જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિનો પ્રભાવ વધુ હોય છે.
હોલિકા દહનના સમયે તમારે તમારું માથુ ખુલ્લુ ના રાખવુ જોઈએ.
હોલિકા દહનની રાત્રે લોકો તંત્ર વિદ્યા પણ કરે છે, તેથી આ દિવસે કોઈના ઘરે ખાવાનુ ના ખાવુ જોઈએ.
આ દિવસે વાસી ભોજન ખાવુ જોઈએ નહીં અને દક્ષિણ દિશા બાજુ મોંઢૂ રાખીને બેસવુ ના જોઈએ.
જે લોકો પણ પુત્રની પ્રાપ્તિ કરી ચૂક્યા છે, તેમણે હોલિકા દહન જાતે ના કરવુ જોઈએ. કોઈ પંડિત અથવા અન્ય વ્યક્તિ સાથે કરાવવુ જોઈએ.
નવવિવાહીત સ્ત્રીઓએ પ્રગટાવેલી હોળી ના જોવી જોઈએ. માનવામાં આવે છે કે હોલિકાને પ્રગટાવતા જોતા નવવિવાહીત સ્ત્રીઓના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
હોલિકા દહનના દિવસે કોઈ પણ પ્રકારના માદક પદાર્થોનું સેવન ના કરવુ જોઈએ.
હોલિકા દહનની રાતને તંત્રની રાત્રિ માનવામાં આવે છે. આ દિવસે સુમસામ વિસ્તારોમાં ના જવુ જોઈએ.