દેશમાં અનેક પ્રકારની પરંપરાઓ છે. ઘણી એવી માન્યતાઓ છે, જે અંગે લોકોને વધુ માહિતી હોતી નથી તો અમુક પરંપરાઓ ખૂબ જ ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે. આખા દેશમાં 18 માર્ચે હોળીનો તહેવાર ખૂબ જ ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે. આ પ્રસંગે અમે તમને એવી પરંપરા વિશે જણાવી રહ્યાં છે, જેને જાણ્યા બાદ તમે પણ ચોંકી જશો.
રાજસ્થાનમાં લગ્નને લઇને અનેક પ્રકારની પ્રથાઓ
ગ્રામજનો વરરાજા અને દુલ્હનના પ્રાઈવેટ પાર્ટની પૂજા કરે છે
લગ્ન માટે આખા ગામમાં નિમંત્રણ આપવામાં આવે છે
શું છે માન્યતા?
રાજસ્થાનમાં લગ્નને લઇને ઘણી પ્રકારની પ્રથાઓ છે, પરંતુ પાલી જિલ્લાના એક નગર બૂસીમાં એવા લગ્ન થાય છે જે ગ્રામજનો માટે ચર્ચાનો વિષય બને છે. અહીં લગ્નની રાત બાદ વરરાજા અને દુલ્હન અલગ થાય છે. આ સાથે આખુ ગામ વરરાજા અને દુલ્હનના પ્રાઈવેટ પાર્ટની પૂજા કરે છે. આ લગ્ન માટે આખા ગામમાં નિમંત્રણ આપવામાં આવે છે. જે લોકો બહાર છે, તેમને કાર્ડ સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવે છે. આ ગામમાં શિવ અને પાર્વતીનુ એક મંદિર છે. આ મંદિરમાં પ્રતિમા છે તેને મોજીરામજી અને મૌજની દેવીના નામથી ઓળખવામાં આવે છે. અહીંના સ્થાનિકોનું માનવુ છે કે મૉજીરામ ભગવાન શિવનું સ્વરૂપ છે, જ્યારે મૌજની દેવી માતા પાર્વતીનુ.
કેમ કરવામાં આવે છે પ્રાઈવેટ પાર્ટની પૂજા?
અહીં લગ્ન બાદ વરરાજા અને દુલ્હનના પ્રાઈવેટ પાર્ટની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે દંપત્તિઓના કોઈ સંતાન નથી અને તેઓ પૂજા કરે છે તો તેમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. બીજો તર્ક એવો પણ આપવામાં આવે છે કે આ પૂજાના માધ્યમથી ભાવિ પેઢીઓને સેક્સ એજ્યુકેશન પર ભાર આપવામાં આવે છે.
અપશબ્દો પણ બોલવામાં આવે છે
આ સિવાય લગ્નમાં વરરાજાનું સ્વાગત અપશબ્દો દ્વારા કરવામાં આવે છે. અહીં પહેલા મૉજીરામની પ્રતિમાની રીતિ-રિવાજ અનુસાર પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટને સજાવવામાં આવે છે. ત્યારબાદ મૉજીરામને ગામના યુવકો તેના ખભે બેસાડે છે. આ દરમ્યાન જોરશોરથી અપશબ્દો બોલીને બિંદોલી કાઢવામાં આવે છે. ત્યારબાદ આ પ્રતિમાને આખી સજાવવામાં આવે છે. અહીંથી નાચતા-ગાતા વરરાજા બનેલા મૉજીરામ, દુલ્હન મૉજની દેવીના ઘરે પહોંચે છે. આ દરમ્યાન મહિલાઓ ફૂલ વરસાવીને તેનુ સ્વાગત કરે છે આ દરમ્યાન વરરાજાને અપશબ્દો પણ ભાંડવામાં આવે છે. અપશબ્દો ગીતોના માધ્યમથી બોલવામાં આવે છે.